________________
* * પાંચ પચ્ચખાણ તપ * [ ૧૧૧ ] પુષ્પ દીપ નૈવેદ્યથી, જે પૂજે જિનરાજ; અક્ષત ફલ આગલ ધરે, સીઝે વંછિત કાજ. ૬
૮૨, પાંચ પચ્ચખાણ તપ.
આ તપમાં પહેલે દિવસે ઉપવાસ, બીજે દિવસે બેસણું, ત્રીજે દિવસે એકાસણું, ચોથે દિવસે નવી, પાંચમે દિવસે આયંબિલ એ પ્રમાણે પાંચ દિવસે એક ઓળી થઈ એવી પાંચ ઓળી કરવી. ગણણું “નમે સિદ્ધાણું” એ પદનું વીશ નવકારવાળીનું ગણવું. સાથી આ વિગેરે આઠ-આઠ કરવા.
૮૩, મૈતમ કમળ તપ. આ તપમાં એકાંતર ઉપવાસ નવ કરવા. ઉદ્યાપને ગૌતમસ્વામીની પૂજા પૂર્વક સુવણનું કમળ કરાવીને ઢાંકવું. બીજી સવ વસ્તુ પકવાન્ન, ફળ, વિગેરે શક્તિ પ્રમાણે ઢાકવાં. “શ્રી ગૌતમસ્વામી સવજ્ઞાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીઆ વિગેરે સત્તાવીશ કરવા.
૮૪, ઘડીયાં બે ઘડીયાં ત૫. આ તપમાં પ્રથમ ચાર દિવસ સુધી પા ઘડીયું કરવું એટલે કે પા ઘડીમાં (છ મિનિટમાં) ભજન કરી લેવું પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org