SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 70 હસ્તપ્રત પરિચય જે કૃતિની એકથી વધુ પ્રતો મળી શકી ત્યાં (ક.) પ્રતના પાઠને મુખ્ય બનાવ્યો છે. તથા અન્ય પ્રતોના પાઠને પાઠાંતર તરીકે રાખ્યા છે. તેમ છતાં ક્યારેક અન્ય પ્રતોના પાઠ અગત્યના જણાયા ત્યાં તે પાઠને મુખ્ય તરીકે રાખ્યા છે. તથા જે પ્રતોના માપ સૂચિપત્રમાંથી મળ્યા તેના જ માપ અહીં આપ્યા છે. અન્યથા માત્ર ઝેરોક્ષી સ્કેન કરેલ કોપી પરથી માપ કાઢવું શક્ય ન હોવાથી અહીં તે-તે પ્રતોના માપ આપ્યા નથી. (૧) મંગલધર્મજી કૃત મંગલકલશ ચૌપાઈ આ કૃતિની પ્રાપ્ત ચાર પ્રતો પૈકી (ક. ખ. ગ) કુલ ત્રણ પ્રતો શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણ અને (ઘ.) પ્રત શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર - લીંબડીથી પ્રાપ્ત થઈ છે. (ક) ડા. ૨૦૯, પ્રત ક્રમાંક-૯૬૬૪ કુલ પત્ર-૧૧ છે, પરંતુ ૪થું પત્ર નથી. પ્રતિ પત્ર ૧૪થી ૧૫ પંક્તિ અને પ્રતિ પંક્તિ પરથી ૬૦ અક્ષરો છે. પ્રતમાં વચ્ચે કોરી ફુદરડી રાખવામાં આવી છે. કોઈ કોઈ પત્રમાં સામેના પત્રની શાહી લાગી છે. ક્યાંક અક્ષરો ફટટ્યા પણ છે. અક્ષરો સુવાચ્ય છે. દરેક પત્રમાં બન્ને બાજ હાંસિયા માત્ર અડધાથી પોણા સે.મી.ના જ રાખ્યા છે. પત્રાંક હાંસિયામાં ન લખતા નીચેની કોરી જગ્યામાં લખ્યા છે. પ્રતની આદિ “IDા ' થી થઈ છે. અને અંતે ‘ત્તિ શ્રી મંત્રવત્તશwવંદ સમાપ્ત IIછા . ૧૪૮' આ પ્રમાણે પુષ્પિકા છે. (ખ.) ડા. ૨૧૦, પ્રત ક્રમાંક-૯૭૦૩, કુલ પત્ર ૨૧, પ્રતિ પત્ર પંક્તિ ૧૧ કે ૧૨, પ્રતિ પંક્તિ અક્ષરો ૩૬થી ૪૨ છે. અક્ષરો છૂટા-છૂટા અને મોટા હોવાથી સુવાચ્ય છે. ઘણા સ્થળોએ પદચ્છેદ સૂચક નિશાની (=શબ્દ પુરો થાય ત્યાં ઉપરની બાજુએ નાનો દંડ) છે. અંકો તથા છંદનામ વગેરે પર લાલ રંગ કર્યો છે. વધારાના અક્ષરો નિભૂંસવા સફેદો લગાડેલો છે. ખૂટતા અક્ષરો નિશાનથી બન્ને બાજુ હાંસિયામાં ઉમેર્યા છે. શાહી ફટતી હોય ત્યાં ‘ડડડ’ કર્યું છે. પ્રતની આદિ પાછા' થી થઈ છે. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે- “તિ શ્રી मंगलकलशप्रबंध संपूर्ण ।। ग्रंथाग्रं श्लोक ५५० परिपूर्णं । संवत् १६०७ वर्षे ।। मागशिर वदि ९ भौमे। श्री सूर्यपुरे। क्षमाधीरमुनि वाचनार्थं। સિવિતા याद्रशं पुस्तके द्रष्ट्वा, ताद्रशं लक्षते मया । શુદ્ધ શુદ્ધ વા, મા રોષો ન રીતે વા. નિપુણ-વરિ-રીવા, વદ્વિમુદિ અધોમુä વણેન હિત શાä, યત્નન પરિપતયેત્ II ૨ ગુમ ભવતુ !!' પુષ્પિકાના ઉલ્લેખ પ્રમાણે સંવત૧૬૦૭, માગસર વદ-૯, મંગળવારે, સૂર્યપુર (સુરત) નગરમાં પ્રસ્તુત પ્રતનું લેખન થયું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy