________________
58
જ કૃતિ દર્શન જ કવિશ્રીએ ઉપમાઓ તો ભરપૂર વાપરી છે તેમાંથી કેટલીક સુંદર ઉપમાઓ... -“પ્રજાનઈ જુગતિ કરી છે, પાલિ ક્યું માય-બાલ.” -ધનદ સમોવડિ ઉપમા હે, ધનદત્ત એવિ નામ.” - જુવતી જોવન જોરમાં, અપછરા કે અનુસાર.” - “જીમ પય વલ્લભ અતિ ઘણુ, તેજબ થાઈ વિનીષ્ટ; તિમ વલ્લભ માય-તાય નઈ, કુમારી થઈ અનિષ્ટ.” - “માન સરોવર કાગડો રે, ન હોઈ હોઈ હંસ; સોનઈ સામ ન હોઈ કદી રે, તિમ તુમ્હ કુલ મહારાજ.” વગેરે..
આ પ્રસ્તુત રાસની ભાષામાં રાજસ્થાની ભાષાના પ્રત્યયો ઘણે સ્થળે વપરાયેલાં જોવા મળે છે. જેમકે.
કોઈ હોઈ જે થાપરઈ “મુઝનઈ રાખ્યો ઘેડ “રાખશું થાહરી લાજ મનરા મનોરથ' વગેરે..
કવિશ્રીએ “ખ નો ખ્ય” પ્રયોજ્યો છે. સુખ = સુખ્ય, મુખ = મુખ્ય વગેરે.... જ આ રાસમાં ભાષાની કોઈ ખાસ વિશેષતા નથી. પરંતુ સરળ પ્રવાહી ભાષામાં વિસ્તાર પૂર્વક રચાયેલો રાસ કાવ્ય-રસિકોને આનંદદાયક બની રહે છે. કથાઘટકોમાં પરિવર્તન ૧) મંગલકલશ ઈશાન દેવલોકથી પંચપલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી માતાની કુક્ષિમાં આવ્યો. (૮૧) ૨) લગ્ન સમયે મંગલકલશે પાંચ ઘોડાની સાથે રાજાના નામાંકિત સુવર્ણથાલ માંગ્યા. (૨૭૪, ૨૭૫) ૩) સિંહથસામંત નૈલોક્યસુંદરીના મામા છે... (૪૦૩) ૪) સિંહરથ અને રૈલોક્યસુંદરી પાણીયારે = પરબે બેઠા હતા ત્યારે લગ્ન સમયે પિતાએ આપેલા
અળ્યો ત્યાં જોયાં. મામા અને ભાણેજી બન્ને તેની પાછળ-પાછળ ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે ગયા
અને ત્યાં પૂછ-પરછ કરીને જાણ્યું કે મંગલકલશ નિશાળે ભણે છે. (૪૧૫, ૪૧૬) ૫) મંગલકલશ પુરુષવેષમાં રહેલી ગૈલોક્યસુંદરીને ઓળખી જાય છે, માટે આપવીતી કહે છે. (૪૩૭) ૬) સુરસુંદર રાજાએ મંગલકલશને પહેલા મંત્રી બનાવ્યા પછી દીક્ષા લેતી વખતે તેને રાજ્ય સોંપ્યું.
(૫૩૨, પ૬૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org