________________
56
વીરરસ છલકે છે. તેમાંની કેટલીક પંક્તિઓ
‘પરતણા કટકસું સુભટ ભટકઈ ભડ્યા, ચડવચા ચુંપણું જઈય લાગા; સુભટ ભટકે ભડ્યાં અટક અડબીઅડ્યા, કાયર ટાંણિ લહી જાઈં ભાગા. ૮ [૫૭૮] નાલ-ગોલા અનઈં બિંદૂક ગડગડઈ, સણસણે તીર કરી આભ છાયા; ખડ ખડ ખડગ કાઢી રણ ખેતમાં, ધડ ધડ ધુંબડ ધીંગ ધાયા. ૯ [૫૭૯]
જોધ જમદૂત જમ દાઢ કાઢી કરી, ઢાલ કર ઝાલિ ઝૂંઝણ ઝંપઈ;
ઝટક લટકઈ લડઈં કટક કાયર કલિં, રાય ભડવાય પર દલ્લ કંપઈ. ૧૦ [૫૮૦]
મંગલકલશ સામે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું ત્યારે ત્રૈલોક્યસુંદરીના ભાવોમાં શૃંગારરસ
નિરૂપાયો છે.
‘યોવન જોર કરઈ છે રાજ, મોહલા વેગ પધારો;
મુઝ ઊરિ ઉપરિ કુચ દો કસીયા, મયમત્તા માતંગ;
કર અંકુસ લગાવો વાહલમ!, વાધઈ ઉલટ અંગ?. ૧ [૪૪૭]
પક્ક ગુહવર સારિખા અધર, દીસઈ લાલ સુગંગા;
કાર સમોવડિ કંત! આઈનઈ આસ્વાદો રસ રંગા.’ ૨ [૪૪૮]
કવિશ્રીએ રાસના દેહને વિવિધ અલંકારોથી વિભૂષિત કરીને આકર્ષક બનાવ્યો છે. તેમાં સજીવારોપણ અલંકાર મંડિત ખંડ-૩ની ઢાલ-૪
‘ચતુર સુજાણ તું ચંદ્રમા!, ઉગ્યો ઉંચે એ આકાસ ચાંદલીયા!;
મુઝ પ્રીઉડો કિહા નિરખીયો?, તે મુઝનઈ પ્રકાશ ચાંદલીયા. ૧ [૩૭૮]
અરજ સુણો એક માહરી, થાહરી હું છું દાસિ ચાંદલીયા; પ્રીઉની જો ખબર કહઈં, તો તુઝ ઘું સાબાસ ચાંદલીયા. ૨ [૩૭૯]
થાહરિ રોહણી ગેહણી, રાખિ તું નિત પાસ ચાંદલીયા; રોહણી સરખી કો નહી, થાણું અતિ ઉલાસ ચાંદલીયા. ૭ [૩૮૪]
ઊંચો અંબર ઓગણેમે, જોવઈ દેશ-વિદેશ ચાંદલીયા;
મંગલકલશ કિહાં ભાલીઓ, ગામ-નગર-નિવેસ? ચાંદલીયા. ૧૨ [૩૮૯]
* કૃતિ દર્શન
ચંદ કહિં ચંદ્રવદનીનઈં, કરમનિ દીજઈ દોસ ચાંદલીયા; સંસારના સુખ પામસો, ટલસઈ મનનો સોસ ચાંદલીયા.’ ૧૪ [૩૯૧] તુઝ પ્રીઉડો ઉજેણીઈ, વહિલો હોસી સંયોગ ચાંદલીયા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org