________________
શ્રી મંગલકલશ રાસમાલા રોડ
અલંકારોની પુષ્પવેલીઓ ચિત્તને આકર્ષિત કરે છે.
“સંસઈ તિમ વિદારણો રે લાલ, ઉદયો કુમર જિઉ ભાનુ.” [૨૧૮] મંગલકલશે પૂર્વની આપવીતી ગૈલોક્યસુંદરી સમક્ષ કથારૂપે કહી ત્યારે રૈલોક્યસુંદરીના મનનો સંશય દૂર થઈ ગયો અને પ્રતીતિ થઈ ગઈ કે “આ જ મારા ભર્તાર છે.” આ પ્રસંગે સંશયને અંધકારની અને મંગલકલશને સૂર્યની ઉપમા આપીને મંગલકલશની તેજસ્વિતા દર્શાવી છે.
જ “જનમી જિઉ ઘન-દામનિ રે, ગુણ મુરત રસ રેલિ.” [૨૬] મેઘ-ઘટા જેમ વિજળીને જન્મ આપે તેમ રાણી ગુણાવલીએ રૈલોક્યસુંદરીને જન્મ આપ્યો. જ “કુસમિ-કુસમિ અલ જિઉ રમઈ, લીયા ફૂલ સબ જાઈ.” [૬૧].
મંગલકલશે બાગમાંથી ‘ફૂલો વિણ્યા' એ ક્રિયાને કવિશ્રીએ કુસમિ-કુસમિ-અલ જિઉ રમઈ” કહીને ખૂબ સુંદર અને નાજુક બનાવી છે.
જ “રોવૈ નઈ કરઈ વિલાપ, નૈણ ઝરણા જિમ નીઝાઈ.” [૧૦૫]
મંગલકલશ ન મળવાના કારણે માતા-પિતા પુત્ર વિરથી વ્યાકુળ થઈને ખૂબ રડે છે ત્યારે તેમના નયનમાંથી ઝરણાની જેમ પાણી ઝરે છે. અહીં આંસુઓને ઝરણાના પાણી સાથે સરખાવીને માતા-પિતાનું રુદન અતિશાયી દર્શાવ્યું છે.
જ “આનંદસિઉ જાગી સા સુંદરી, જીયો જોગી મતવારો રે.” [૧૨૭]. ‘દાવાનલ જિઉ પરજલ્યો, કરિનઈ ક્રોધ અપાર.” [૨૯] ભામની ગજગામિનિ દોઉ બની રે, ઝલકત વિજુલી રિ જેમ.” [૨૯૬] વઢઈ પ્રતાપ નિત ઘણો રે, ગહગણમઈ જિમ ચંદ.” [૨૯૭] રથ-રાસિ રવિ જિસી સો પાવઈ.” (૩૨૦) વગેરે સુંદર ઉપમાઓ કવિશ્રીએ આલેખી છે. » ‘નર ઉજેણ સુહાવણો, ભરથખેતરમેં દીપે સાર કી; ભુ-રમણી ભાલઈ તિલો, માનો અલકાસર અવતાર કી.” [૬] ઉજ્જૈની નગરીને કવિશ્રીએ “પૃથ્વીરૂપી સુંદરીના ભાલે શોભતું તિલક” અને “અલકાસરના અવતાર' તરીકે ગાઈ છે.
જ “સાપણિ જિઉ અહિનિસિડસઈ, વાઘણ જિઉ ઘુરરાઈ; નારી આરી સારકી, અબલા કહીય કાઈ.' [૪૨]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org