SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા અનુસારઈ તેહનઈ રચ્યું નિત॰, મંગલકલસ પ્રબંધ દાન૦.’ ૩૩૦ સૂક્ષ્મ અહીં કથાના અંતે આપેલ કથાઘટક મંગલકલશ અને ત્રૈલોક્યસુંદરીના પૂર્વભવમાં શીલ પાલન પરનો છે. તેના અનુસારે આ રાસ માણિક્યચંદ્રસૂરિજી કૃત શાન્તિનાથ ચરિત્રમાંની કથા પરથી રચાયો હોવાનું જણાય છે. આ શીલપાલનનો કથાંશ નીચે ‘કથાઘટકોમાં પરિવર્તન’માં આપેલો છે. ક્યાઘટકÎમાં પરિવર્તન. 31 ૧) મંગલકલશનો ગર્ભકાળ નવમાસ અને સાડા સાત દિવસ દર્શાવ્યો છે. (૪૫) ૨) સુબુદ્ધિ મંત્રીએ ત્રણ પૌષધ કરીને દેવીની આરાધના કરી. (૯૯) ૩) આકાશવાણી સાંભળીને મંગલકલશ એ વાત માતાને કહેવાનું વિચારે છે. (૧૧૮) ૪) મંગલકલશ ખોટી રીતે પરણવા તૈયાર નથી થતો ત્યારે મંત્રીની પત્ની તેને સમજાવે છે (૧૪૫) ૫) લગ્ન સમયે ત્રૈલોક્યસુંદરીના કહેવાથી તેના પ્રિય પાંચ અશ્વો મંગલકલશે રાજા પાસે માંગ્યા. (૧૫૪) ૬) મંગલકલશ લગ્ન પછી જ્યારે ઘરે પાછો આવે છે ત્યારે માતાને બદલે અહીં નગરજનો કહે છે. ‘રાજપુત્ર! આ માર્ગ નથી’ (૧૯૧) ૭) ત્રૈલોક્યસુંદરી માતાને ઉજ્જૈની જવાની વાત કરે છે ત્યારે માતા ‘તારા પિતા નહીં માને’ એવું કહી વાત ટાળી દે છે. પછી ત્રૈલોક્યસુંદરી પોતે જ મામા સિંહ સામંતને વાત કરે છે. (૨૨૯, ૨૩૧). ૮) ત્રૈલોક્યસુંદરી રાજકુમાર બનીને ઉજ્જૈન આવે છે ત્યારે ‘એ રીસાઈને અહીં આવ્યો છે’ એવું વિચારી તેનું મન ખુશ કરવા વૈરીસિંહ રાજા ખૂબ માન-પાન આપે છે. (૨૪૪-૨૪૫) ૯) મંગલકલશ અને ત્રૈલોક્યસુંદરીને ઘરે લાવીને ધનદત્ત શ્રેષ્ઠીએ દશ દિવસનો ઉત્સવ કર્યો. (૨૮૨) ૧૦) મંગલકલશને રાજ્ય પર સ્થાપી ગુણસુંદર રાજાએ જયસિંહગુરુ પાસે દીક્ષા લીધી. એ સમયે મંગલકલશે શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યા. (૨૯૪) ૧૧) ત્રૈલોક્યસુંદરી શ્રીમતીના ભવમાં ભદ્રા સખીને ‘તું દુશ્ચારિણી હોઈશ એટલે તારો પતિ તારા પર ખેદ રાખે છે,’ આવું આળ આપ્યું. (૩૦૦) ભદ્રાનો પતિ કોઢી થયો એ વાત નથી. ૧૨) સોમચંદ્ર અને શ્રીદેવીના ભવમાં પાળેલા શીલના પ્રભાવે મંગલકલશ અને ત્રૈલોક્યસુંદરીને આ ભવમાં ઋદ્ધિ-સમૃદ્ધિ મળી હતી. એ કથાઘટક - ‘મદના નામની વેશ્યા પાંચ વિટ પુરુષો સાથે ક્રીડા કરતી હતી તે સમયે મદનાએ તેઓને કહ્યું ‘શ્રીમતીને કોઈ પણ પુરુષ શીલથી ચૂકવી ન For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy