________________
30
રીત કૃતિ દર્શના
ગુણસુંદર રાજા ગુણસુંદરી રાણીને રૈલોક્યસુંદરીના વિવાહ અંગે પૂછે છે. ત્યારે રાણી ઉત્તર વાળે છે કે “તમને સીખ દેવી એટલે સરસ્વતીને નિશાળે ભણાવવી, આંબાના વૃક્ષ પર તોરણ બાંધવું, મા આગળ મામાના વખાણ કરવા, લંકામાં જઈ સમુદ્રની લહેરોનું વર્ણન કરવું.” અહીં અનેક સુંદર દૃષ્ટાંતો મૂકીને “રાજાને શિખામણ આપવાની વાતને ખૂબ સરસ રીતે સરખાવી છે.
જ “àલોક્યસુંદરી’ના નામમાં કવિશ્રીએ કલ્પનાના રંગો ભર્યા છે. જે કઈ રૈલોક્યસુંદરી, નામ ઈસઉ તિણિ પાયલ રે; ફિર સોહાગ ભુવન ત્રિાટું, તસુ અંગઈ સબ આયઉ રે.' ૬૮
સૌભાગ્ય ત્રણે ભુવનમાં ફરીને છેલ્લે રાજપુત્રીના શરીરમાં આવીને વસ્યું. આથી રાજપુત્રી, નૈલોક્યસુંદરી' નામ પામી. નામ પાછળ કલ્પના કરીને કવિશ્રીએ રાજપુત્રીનું અદ્ભુત લાવણ્ય દર્શાવ્યું.
જ કવિશ્રીએ કોઈ કોઈ સ્થળે સંસ્કૃતભાષાપ્રધાન સમાસો પ્રયોજ્યા છે. દા.ત. ભવિકકમલ-વર-ભાણ, અરિ-કરિ-ભંજણ-સીહ, જણણી-વેલી-વિશ્રામ-તરુ. વગેરે...
જ વર્તમાન ગુર્જરભાષામાં પ્રસિદ્ધ કહેવતો કવિશ્રીએ તે સમયમાં પણ પ્રયોજી છે. એના પરથી એ જણાય છે કે તે સમયમાં પણ નિમ્નોલ્લેખિત કહેવતો પ્રચલિત હતી.
“મન-વંછિત ભેષજ હુંતલ, એહિજ જાણ્યું લીજઈ રે; અયસી વાત હુઈ સહી, વૈદ્ય કહ્યું તે કીજઈ રે.” ૭૮ = ભાવતું'તું ને વૈદે કહ્યું. “અબ મુઝ ના એ પરિ હુઈ, આગલિ દોતડિ વાજઈ રે; પાછલે વાલી જોઈયઈ, વાઘ સબલ તબ ગાજઈ રે.” ૯૩ = આગળ નદી ને પાછળ વાઘ. જઉ નહિ માનઈ સાગર સાતુ, મૂઠિ સમાન થાઈસ. ૧૪૮ = સાતે સાગર મૂઠી જેવડા થઈ ગયા. જઠર મસલિનઈ જાગવી, વ્યાધિ શુલ વિખ્યાત.” ૨૧૪ = પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. અખ્ત ઘરિ સ્વર્ણ ગંધ સરસ ધર્યઉં.” ૨૮૫ = સોનામાં સુગંધ ભળે. વગેરે. ત્ય પ્રસ્તુત રાસ “શાંતિનાથ ચરિત્ર' પરથી રચાયો છે. એવું કવિશ્રી પોતે જ જણાવે છે. “સોલમ જિનવરનઉ ચિરી નિત, દ્વાદશ ભાવ સંબંધ દાન;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org