SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિ દર્શના (૧) મંગલધર્મજી કૃત મંગલકલશ ચોપાઈ | વિક્રમ સંવત ૧૫૨૫માં રચાયેલ ૩૪૮ કડી પ્રમાણ આ મંગલકલશ ચોપાઈના કર્તા મંગલધર્મ છે. તેઓશ્રીએ રાસને અંતે પોતાની ગુરુ પરંપરા આ પ્રમાણે આપી છે- ચંદ્રગથ્વીય ઉપાધ્યાય દેવભદ્રજીની પરંપરામાં રત્નાકરગચ્છીય જયતિલકસૂરિજી > રત્નસિંહસૂરિજી > ઉદયવલ્લભસૂરિજી – જ્ઞાનસાગરસૂરિજી > ઉપાધ્યાય "ઉદયધર્મજી > મંગલધર્મજી. આ મંગલધર્મજી પંન્યાસ હોવાનું જૈન પરંપરાનો ઈતિહાસ (૩/૧૫)માં ટાંકેલું છે. આ પ્રસ્તુત કૃતિનો “ચોપાઈ' તરીકે ઉલ્લેખ કવિશ્રીએ સ્વયં કર્યો છે- “મંગલકલશતણી ચુપઈય, સંવત પનર પંચવસઈ હુઈય'. ૩૪૮. આથી. પુષ્પિકાના “પ્રબંધ' ઉલ્લેખને ગૌણ કરી પ્રસ્તુત કૃતિને ચોપાઈ ગણવામાં આવી છે. રાસ મોટે ભાગે ચોપાઈમાં રચાયો છે. છતાં તે ઉપરાંત દુહા, વસ્તુ, પાઘડી, અછોડા વગેરે છંદો, દેશાખ તથા ધન્યાસી રાગ, ધવલ ધોળ જેવો કાવ્ય પ્રકાર તથા એક દેશી પણ પ્રયોજાઈ છે. જ રસાળ શૈલીથી રચાયેલ આ રાસને ઉપમા-ઉપેક્ષા-વ્યતિરેક-અતિશયોક્તિ-સજીવારોપણ વગેરે અલંકારો દ્વારા સુશોભિત બનાવ્યો છે. ઉપમા – “તલીયા તોરણ વાનરબાલિ, અલકાની પરિ ઝાકઝમાલ.” ૪ ઉજ્જૈની નગરીને અલ્કાપુરી સાથે સરખાવી છે. જ “રાજા બઈ સોભઈ સભા, જિમ ઉદયાચલિ સૂરિજ.ભા.” ૬૭ ઉદયાચલ પર શોભતી સૂર્ય-પ્રભાની જેમ સુરસુંદર રાજા રાજસભામાં શોભી રહ્યા છે. જ “તારામાંહિ શશિ તેજ અપાર, તિમ ઓલખીલ નિજ ભરતાર.” ૨૬૫ ૧. જેમનાથી તપાગચ્છ શરૂ થયો હતો (સં. ૧૨૮૫) તે આચાર્ય જગશ્ચંદ્રસૂરિજીએ ક્રિયોદ્ધાર કરવા આ દેવભદ્રજીની ઉપસંપદા સ્વીકારી હતી. આ. જગશ્ચંદ્રસૂરિજીની પાટે વિજયચંદ્રસૂરિજી (જેઓ સંસારીપક્ષે મહામાત્ય વસ્તુપાલના મુનીમ હતા) થયા. તેમનાથી વૃદ્ધ પૌષાલિક | ચૈત્ર | ચૈત્રવાલ ગચ્છ શરૂ થયો. તેમની પરંપરામાં આચાર્ય રત્નાકરસૂરિજીથી આ રત્નાકરગચ્છ શરૂ થયો. ૩. તેઓશ્રીને કપર્દીયક્ષ પ્રસન્ન હતો. તેમની નિશ્રામાં ૧૨૫ જેટલા છ'રીપાલક સંઘો નીકળ્યા હતા. અપનામ – જિનરત્નસૂરિજી જેઓશ્રીનો સંક્ષિપ્ત પરિચય આ પછીની કૃતિના પરિચયમાં આપેલો છે. ઉદયધર્મજીએ ઉપદેશમાલાની ૫૧મી ગાથાનું ‘શતાર્થી વિવરણ'(ર.સં. ૧૫૦૭), ‘વાક્ય પ્રકાશ મૌક્તિક' (૨.સં. ૧૫૦૭), ૩૨ દલ કમલબંધ મય “શ્રી મહાવીર સ્વામી સ્તોત્ર' વગેરેની રચના કરી છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy