________________
જ ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ - પૂના. જ ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યુટ -વડોદરા. જ બી.એલ. ઈન્સ્ટીટ્યુટ- દિલ્હી.
ઉજ્જૈન જ્ઞાન ભંડાર - ઉજ્જૈન. જ શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર - પાયધુની - મુંબઈ. આ સર્વ ભંડારોએ ઉદારતાપૂર્વક હસ્તપ્રત કોપી આપી છે.
શ્રી મધુકાન્તભાઈ વેલજીભાઈ છેડા (ગાગોદર-મુંબઈ) જેમણે દીલ્હી તથા પૂનાથી હસ્તપ્રત કોપીઓ ખૂબ મહેનત કરીને મેળવી આપી.
શ્રી જયશ્રીબેન મહેશભાઈ શાહ (સુરેન્દ્રનગર) જેમણે અમદાવાદ, વડોદરા, પૂના વગેરે જ્ઞાનભંડારોમાંથી હસ્તપ્રત કોપીઓ મેળવવામાં ખંત અને ઉત્સાહપૂર્વક ખૂબ પ્રયત્નો કર્યા.
આ સર્વના અમો સદેવ ઋણી રહેશે. સર્વની સહાયતા વિના સંપાદનનું અમારું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહ્યું હોત.
આ “મંગલકલશરાસમાળા'નું અવલોકન કરી વિદ્વત્ક્રનો એમાં રહી ગયેલી ક્ષતિઓ પ્રત્યે સૂચન કરશે તો ભવિષ્યનું સંપાદન પૂર્ણતા તરફ આગળ વધી શકશે.
પ્રસ્તુત સંપાદનમાં મંદક્ષયોપશમને કારણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કે કર્તાના આશય વિરુદ્ધ કોઈ પ્રરૂપણા થઈ ગઈ હોય તો ક્ષમાયાચના કરું છું.
ગણિ તીર્થભદ્ર વિજય
વૈ. વ.-૫, શ્રી તારંગા વિહારધામ-ચૂલી.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org