________________
પૂજ્ય કનકસૂરિદાદાની સ્મરણાંજલિ નિમિત્તે આ વિષયમાં પ્રથમવાર જ પ્રવેશવાનું થયું છે. જેમાં વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા વિદ્વત્ન શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ પણ અવસરે અવસરે માર્ગદર્શન આપ્યું છે.
પ.પૂ. વિદ્વદ્વર્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રવિજયજી મ.સા. કે જેઓએ સંપૂર્ણ મેટર તપાસી આપ્યું. પ્રસ્તુત પ્રકાશનમાં તેઓશ્રીના અમૂલ્ય સૂચનોનું આંશિક પાલન થયું છે. ભવિષ્યના પ્રકાશનમાં તે સૂચનોનાં પૂર્ણપણે અનુસરણનો પ્રયત્ન કરીશું.
સરસ્વતીલબ્ધપ્રાસાદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. જેમણે સ્વલિખિત મંગલકલશ કથા હે' (પુસ્તક ક્રમાંક-૨૧૨) આ ગ્રંથમાં સમાવવાની સહર્ષ અનુજ્ઞા આપી.
વૈરાગ્યદેશનાદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. જેઓશ્રીએ ગોડીજી જ્ઞાનભંડાર વગેરે ભંડારોના સ્કેન કરેલા પોતાના સંગ્રહમાંથી હસ્તપ્રત કોપીઓ મોકલી આપી.
સહવર્તી સર્વ સાધુ ભગવંતો કે જેમની સહાયથી પ્રસ્તુત પ્રકાશન થઈ શક્યું છે. પૂજ્ય સાધ્વીજી મિયગુણાશ્રીજી મ.સા. જેમણે અનેક રાસોની પ્રેસકોપી તૈયાર કરી આપી.
વિદ્વદ્વર્ય પંડિત રત્ન શ્રી અમૃતભાઈ પટેલ કે જેઓએ પ્રસ્તાવના તપાસી આપી તથા અવસરેઅવસરે માર્ગદર્શન આપ્યું.
પંડિતવર્ય શ્રી કાંતિભાઈ બી. શાહ (અમદાવાદ) જેમણે જીવણજી કૃત મંગલકલશ રાસ સંપૂર્ણ તપાસી આપ્યો.
જ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યા મંદિર-અમદાવાદ-શ્રીયુત જિતુભાઈ, જેમણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ઉદારતાપૂર્વક અવિલંબે હસ્તપ્રત કોપીઓ મોકલી આપી.
જ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર-કોબા-શ્રી મનોજભાઈ, જેમણે અવસરે અવસરે સંપાદનોપયોગી સંદર્ભ ગ્રંથો તથા હસ્તપ્રત કોપીઓ ખૂબ જ સહૃદયતાથી તુરંત જ મોકલી આપી.
* શ્રી આશાપુરણ જ્ઞાન ભંડાર-શ્રાવકવર્ય શ્રીયુત બાબુભાઈ સરેમલજી શાહ (બેડાઅમદાવાદ) જેમણે ઉજ્જૈન વગેરે અનેક જ્ઞાનભંડારોમાંથી હસ્તપ્રત કોપીઓ તથા સંદર્ભગ્રંથ વગેરે સાધનો પણ મેળવી આપ્યા.
જ શ્રી હેમચંદ્રાચાર્યજ્ઞાન મંદિર - પાટણ. જ શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાન ભંડાર-લીંબડી-શ્રી ધનેશભાઈ.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org