SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા ‘સંબંધ નક્કી કર્યો નથી, નક્કી કરવાનો છે’ ‘એ અંગે કાંઈ વિચાર્યું છે?’ ‘હા’ કોણ છે એ બડભાગી રાજકુમાર કે જે આવી ગુણગણના અને રૂપરૂપના ભંડાર સમી ત્રૈલોક્યસુંદરીનો ભરથાર બનવાનો છે?’ ‘એ રાજકુમાર નથી.’ ‘રાજકુમાર નથી?’ ‘ના’ ‘તો?’ ‘એ છે તમારો પુત્ર.’ ‘મારો પુત્ર?’ ‘હા’, ‘પણ રાજ! એ સંભિવત જ નથી’ ‘વાંધો શું છે?’ ‘રાજન! મિત્રતા અને વિવાહ તો જેમનું સમાન કુળ હોય, જેમનો સમાન વૈભવ હોય એમની વચ્ચે જ ઉચિત લાગે, ત્રૈલોક્યસુંદરીનો સંબંધ આપે કોક રાજકુમાર સાથે જ નક્કી કરવો જોઈએ, મારા પુત્ર સાથે નહીં.’ ‘મંત્રીશ્વર! મેં ખૂબ સમજીને આ નિર્ણય કર્યો છે’ ‘આવો નિર્ણય કરવા પાછળનું કારણ...’ એક જ, ‘ત્રૈલોક્યસુંદરી અમારા સહુની આંખ સમક્ષ જ રહે” એવી અમારા સહુની ઇચ્છા છે. ત્રૈલોક્યસુંદરી જેવી ગુણિયલ રાજકુમારી માટે રાજકુમારનો કોઈ તોટો નથી પણ એનો સંબંધ કોઈ રાજકુમાર સાથે બંધાય એટલે અમારાથી તો એ દૂર જ થઈ જાય ને? Jain Education International 99 બસ, અમને કોઈને ય એ પરવડે તેમ નથી. આ એક જ ગણતરીએ તમારા પુત્ર સાથે ત્રૈલોક્યસુંદરીનો સંબંધ બાંધવાનું મેં નક્કી કર્યું છે. તમારે એમાં સંમતિ આપી જ દેવાની છે.’ રાજવીની આ વાત મંત્રીશ્વરને સર્વથા અનિષ્ટ હતી. છતાં રાજાના અતિશય આગ્રહ આગળ એણે નમતું જોખ્યું. રાજાને એ સંબંધ માટે એણે સંમતિ દર્શાવી. એ પોતાને આવાસે આવ્યો તો ખરો પણ એના મનને ક્યાંય ચેન નથી. એને એમ લાગે છે કે ‘એક બાજુ વાઘ છે તો બીજી બાજુ નદી છે. રાજાને આ સંબંધ માટે એ જો ‘ના’ પાડી દે છે. તો રાજાના કોપના એને શિકાર બનવું પડે છે અને રાજાને એ સંબંધ માટે એ જો ‘હા’ પાડી દે છે તો ભાવિ એનું એને ભયંકર લાગે છે. કારણ? પોતાનો પુત્ર કુષ્ટરોગથી વ્યાપ્ત છે! સંબંધ બંધાયાના બીજે જ દિવસે આ ભાંડો ફૂટે તો પોતાની શી હાલત થાય? એની કલ્પનામાત્રથી એ થરથર કંપી રહ્યો છે! કમાલ છે ને? રાજા જેવો રાજા કેવી ગજબનાક થાપ ખાઈ ગયો છે? દીકરી પોતાની કેવી ગુણિયલ છે એનો એને બરાબર ખ્યાલ છે. એનું રૂપ કેવું છે એની ય એને ખબર છે, એ કોઈ સામાન્ય માણસની દીકરી નથી પણ રાજકુમારી છે એનો ય એને ખ્યાલ છે અને છતાં એનો સંબંધ કોઈ રાજકુમાર સાથે ન જોડતાં મંત્રીપુત્ર સાથે જોડવાનો એણે નિર્ણય કરી લીધો છે. કારણ? એક જ. મોહ! દીકરીનું મોટું રોજ જોવા મળે! અને આમાંય મંત્રીના જે પુત્રને નથી તો રાણી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy