________________
શ્રી મંગલકલશ રાસમાલા
“પિતાજી!' “બોલ” આજથી આપને બગીચામાં જવાનું બંધ!” એટલે?
એટલે બીજું કાંઈ નહીં. બગીચામાં આપના બદલે હું જઈ આવીશ અને પ્રભુપૂજા માટે પુષ્પો લઈ આવીશ.”
“શું વાત કરે છે?'
હા. મારી આ વાત આપે માન્ચે જ છૂટકો છે. પુષ્પો લઈ આવવાની જવાબદારી મારી. આપ હજી ય વધુ ધર્મારાધના કરતા રહો.'
અને આ ક્રમ રોજનો બની ગયો. મંગલકલશ જ બગીચામાં જાય, પુષ્પો લઈ આવે અને શેઠ ધનદત્ત એ પુષ્પોથી પ્રભુની ભાવપૂર્ણ હૈયે પૂજા કરતા રહે.
બે પળ વિચાર કરીને રાજાએ ગુણાવલીને કહ્યું,
આ સ્વપ્નના પ્રભાવથી તમે સર્વલક્ષણ સંપના એવી પુત્રીને જન્મ આપશો.”
આ સાંભળતાવેંત ગુણાવલીના આનંદનો પાર ન રહ્યો.
કાળજીપૂર્વક અને ધર્મારાધનાના સેવન સાથે ગર્ભનું નિર્વહન કરતા નવ મહિનાનો સમય પસાર થયો અને ગુણાવલીએ રૂપ રૂપના અંબાર સમી પુત્રીને જન્મ આપ્યો. માત્ર રાજભવનમાં જ નહીં, સંપૂર્ણ ચંપાનગરીમાં આ સમાચાર પ્રસરી ગયા અને સર્વત્ર જાણે કે ઉત્સવનું વાતાવરણ સર્જાઈ ગયું. પુત્રીનું રૂપ જોયું રાજવી સુરસુંદરે અને એને એમ લાગ્યું કે “દેવલોકની અપ્સરા અહીં બાલિકાનું રૂપ લઈને આવી ગઈ લાગે છે. ખરેખર! ત્રણે લોકમાં આના જેવી રૂપવાન સુંદરી મળે જ નહી. સવાલ જ નથી. રાજવી સુરસુંદરે એનું ગુણનિષ્પન્ન નામ રાખી દીધું, રૈલોક્યસુંદરી.
એ તો માનવું જ પડે કે સમયનુ વહેંણ નદીના વહેણથી પણ વધુ વેગવાન અને અવિરત છે. રૈલોક્યસુંદરીએ યૌવનના ઉંબરે ડગ દીધા. આખાય અંતેપુરે એને હૈયાના હારની જેમ ચાહી છે. ખૂબ લાડ-કોડ વચ્ચે રાજકુમારી યૌવનની સીમ સુધી પહોંચી.
કૈલોક્યસુંદરીની વય વધતી ચાલી અને એક દિવસ રાજવી સુરસુંદરે રાણી ગુણાવલીને વાત કરી.
“કાંઈ ખ્યાલ આવે છે?'
ભરતક્ષેત્ર ચંપા નગરી સુરસુંદર રાજા રાણી ગુણાવલી
સરાલયના સખને ય શરમાવે એવા સોનેરી સુખમાં તે બન્નેનું જીવન મહેંકતુ હતું.
એક દિવસ રાત્રિના સમયે સૂતેલી ગુણાવલીએ સ્વપ્નમાં પોતાના ખોળામાં કલ્પવૃક્ષની લતા હોય એવું જોયું અને એજ પળે એ જાગ્રત થઈ ગઈ. આખી રાત્રિ એણે ધર્મજાગરણમાં વિતાવી અને સવારના પહોરમાં રાજવી સુરસુંદરને એણે સ્વપ્નની વાત કરી. પળ-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org