________________
શ્રી મંગલકલશ રાસમાલા
93
૯) ઢાળક્રમાંક કે કડીક્રમાંક ક્યાંક આપવાના રહી ગયા હોય અથવા ખોટા અપાઈ ગયા હોય તો સુધારી લીધા છે. મૂળપ્રતમાં ક્યાંક સંપૂર્ણ કૃતિના કડીક્રમાંક સળંગ આપ્યા છે અને
ક્યાંક પ્રતિઢાળ નવા ક્રમાંક આપ્યા છે. અહીં તે તે કૃતિમાં મૂળનું જ અનુસરણ કરાયું છે. જ્યાં પ્રતિઢાળ જુદા જુદા ક્રમાંક હોય ત્યાં બાજુમાં ચોખંડા [ ] કૌંસમાં સળંગ ક્રમાંક આપ્યા છે.
૧૦) પાદાને આવતા “જી', રે, “એ” વગેરે પાદપૂરકો ક્યાંક છૂટી ગયા હોય તો ઉમેરી
એક દેવામાં આવ્યા છે.
૧૧) દેશીઓ એકથી વધુ રીતે પ્રચલિત હોય અથવા તેના રાગ મળતા હોય તો તે જૈન ગૂર્જર કવિઓ ભાગ-૮માંથી લઈને [ ] કૌસમાં ઉમેર્યા છે.
૧૨) સામાન્ય જોડણી કે અનુસ્વારના પાઠભેદો પાઠાંતરમાં સમાવ્યા નથી. પરંતુ
જ્યાં વિશેષ અર્થભેદ થતો હોય તે શબ્દભેદો ‘પાઠાત્ર’ કરીને એ જ પત્રમાં નીચે મૂક્યા છે.
૧૩) સુધારેલ પાઠ કૌંસમાં ( ) અને ખૂટતો પાઠ વિકલ્પરૂપે [ ] કૌંસમાં આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org