SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અભિહિતાન્વયવાદનું વર્ણન 140. અભિહિતાન્વયવાદી–તે પ્રાપ્ત શું થયું ? અભિહિતાન્વય, કારણ કે વાકયાથજ્ઞાન પદાર્થજ્ઞાનપૂર્વક છે. પદાર્થો અજ્ઞાત હોય ત્યારે વાક્યર્થનું જ્ઞાન થતું દેખ્યું નથી. વળી, પદાર્થો અજ્ઞાત હોય તે પદાર્થોને વિભાગ પણ જ્ઞાત થાય નહિ, જેમકે આ પદને અર્થ જાતિ છે, આ પદને અથ દ્રવ્ય છે, આ પદને અર્થ ગુણ છે, આ પદને અર્થ ક્રિયા છે. જે તે અર્થ પદથી અભિહિત થતો હોય તો જ તે પદાર્થવિભાગ આ પ્રમાણે ઘટે. જે પદાન્તરના અર્થથી ઉપરક્ત ( = સંસૃષ્ટ, અન્વિત) અર્થનું અભિધાન પદ કરતું હોય તે તે પદના અર્થની ઇયત્તાને નિશ્ચય ન થાય, કારણ કે તેમાં તે સમૂહાકાર અર્થની પ્રતીતિ થાય છે. જે કહેવામાં આવે કે આવા-ઉદ્ગાપ દ્વારા પદના અર્થની ઇયત્તાને નિશ્ચય થશે તે અમે જણાવીએ છીએ કે ના, એવું નહિ બને કારણ કે આવાપ-ઉદ્વીપ દ્વારા પરીક્ષા કરતી વખતે પણ સામૂહિક અર્થની પ્રતીતિ હટતી નથી. એવું નથી કે વાકયમાં રહેલા પદે અન્વિત અર્થોનું અભિધાન કરે છે અને અન્યત્ર (વાક્ય બહાર) પદે શુદ્ધ ( = અનાન્વિત) અર્થોનું અભિધાન કરે છે, પરંતુ સર્વત્ર પદસમૂહરૂપ ઉપાય દ્વારા અર્થ સમૂહરૂપ ઉપેયનું જ્ઞાન થાય છે, એટલે પદાર્થને વિભાગ જાણો કઠણ છે. પરિણામે, વાક્યાને પદાર્થોની અપેક્ષા ન હેતાં “ગાય લાવ” એ વાકયમથી અશ્વને લાવવાની આજ્ઞાનું જ્ઞાન થાય અને ગાય બાંધ' એ વાકયમાંથી અશ્વને બાંધવાની આજ્ઞાનું જ્ઞાન થાય. 111. વેક્યતે તુ પાનામર્થ: / સોડામા રૂયાનિતિ નિયતોડવધાયિतव्यः । तदवधारणं शुद्धाभिधायिषु पदेष्ववकल्पते । तस्मात् पदपदार्थयोरौत्पत्तिकः सम्बन्ध इष्यते । वृद्धव्यवहारेषु च वाक्यादपि भवन्ती व्युत्पत्तिः पदपर्यन्ता भवति, इतरथा हि प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते, सा चानन्त्याद् दुरुपपादेति शब्दव्यवहारोच्छेदः स्यात् । दृश्यते च पदार्थविदामभिनवकविश्लोकादपि वाक्यार्थप्रतीतिः । सा पदतदर्थव्युत्पत्त्याऽवकल्पते । वाक्यवाक्यार्थयोस्तु व्युत्पत्तावपेक्षमाणायां सा न स्यादेव । तस्मान्नान्विताभिधानम् । 141. ખરેખર તે વાક્યર્થ પદના અર્થોની અપેક્ષા રાખે છે જ વાક્યોથ વડે અપેક્ષા રખાતે પદાર્થ “આટલે છે' એમ ચોક્કસ નકકી થવો જોઈએ જ. શુદ્ધ ( = અનાન્વિત ) અર્થોનું અભિધાન કરતા પદોમાં જ એ નિશ્ચય ઘટે છે. તેથી, પદ-પદાર્થ બે વચ્ચે નિત્ય સંબંધ ઈચ્છવામાં આવ્યું છે. વડીલનાં વ્યવહારમાં વાક્યમાંથી પણ થતી વ્યુત્પત્તિ પદ પયતની હોય છે. અન્યથા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિની અપેક્ષા રહે, અને વાક્યો અનંત હોઈ તે વ્યુત્પત્તિ ઘટે નહિ અને પરિણામે શબ્દના વ્યવહારને ઉછેદ થઈ જાય. વળી, પદાર્થના જાણકારોને કવિએ રચેલા અભિનવ શ્લોકમાંથી પણ વાળ્યાથનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પદ–પદાર્થની વ્યુત્પત્તિ દ્વારા ઘટે છે. વાક્ય-વાક્યર્થની વ્યુત્પત્તિની અપેક્ષા રાખવામાં આવે તો તે જ્ઞાન ન જ થાય. તેથી પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા નથી. ' 142. સતવં, પાન્તરોદવાર_વૈયતિ માવ પઢાત તત્પન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy