SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શાખધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. ફરી વર્ણમે તૃતીય પદનું જ્ઞાન થાય છે, પછી સંકેતસ્મરણ થાય છે અને પૂર્વ સંસ્કારની સહાયથી તૃતીય પદનું જ્ઞાન વધુ પટુ સંસ્કાર ઉત્પન્ન કરે છે. આમ પદજ્ઞાન જનિત પુષ્ટ સંસ્કાર અને પદાર્થ જ્ઞાનજનિત તે જ પુષ્ટ સંસ્કાર હતાં અંત્યપદાથજ્ઞાન પછી પદના સંસ્કારથી બધા પદે વિષયક સ્મૃતિ થાય છે અને પદાર્થોના સંસ્કારથી બધા પદાથ વિષયક સ્મૃતિ થાય છે, આમ સંસ્કારમે ક્રમથી બે સ્મૃતિ થાય છે. ત્યાં એક સ્મૃતિમાં ઉપારૂઢ ( = પ્રતિભાસિત) પદસમૂહ વાક્ય છે અને બીજી સ્મૃતિમાં ઉપારૂઢ પદાર્થસમૂહ વાકથાર્થ છે. 135. નનુ મૃતેરઝમાળવાપ્રમાણમાની વાવયાપ્રતિપસિ: મૈવ, તથrसम्बन्धग्रहणात् । यत्र ह्यन्यथासम्बन्धग्रहणम् , अन्यथा च प्रतिपत्तिः, तत्रायं दोषः । यथा धूमे गृहीतसम्बन्धे नीहाराहनानुमितौ । इह तु क्रमवर्तिनां वर्णानामन्यथा प्रतीत्यसम्भवाद् यथैव व्युत्पत्तिस्तथैव प्रतीतिरिति न किञ्चिदवद्यम् । अचिरनिवृत्तानुभवसमनन्तरभाविनी च स्मृतिरनुभवायते । 135. શંકાકાર–સ્કૃતિ અપ્રમાણ હોઈ, વાક્યર્થનું જ્ઞાન અપ્રમાણુ બની જશે. જય ત–ના, એવું નથી, કારણ કે [ સંકેતગ્રહણકાળે = વ્યુત્પત્તિકાળ] જે સંબંધ ગ્રહણ કર્યો હતો તેવા જ સંબંધની મરણપ્રતીતિ અત્યારે (= વ્યવહારમાળ) થાય છે, (અર્થાત જેમની વચ્ચે સંબંધ સંકેતકાળે કર્યો હતે તેમની જ વચ્ચેના સંબંધની પ્રતીતિ સ્મરણથી અત્યારે વ્યવહારકાળે થાય છે). જ્યાં સંબધનું ગ્રહણ અન્યથા કર્યું હોય અને પ્રતાતિ અન્યથા થાય ત્યાં આ દોષ લાગે. ઉદાહરણર્થ, ધૂમમાં વ્યાપ્તિસંબંધનું ગ્રહણ થયું હોવા છતાં નહાર ઉપરથી અગ્નિનું કરવામાં આવતું અનુમાન. અહીં તે કમવતી વર્ણોની અન્યથા પ્રતીતિ અસંભવિત છે, અર્થાત 'કમલ પદના વર્ષે જે ક્રમમાં સંકેતકાળે અનુભવ્યા હોય તેનાથી જુદા કામમાં તે વ્યવહારકાળે સ્મરણમાં આવે એ અસંભવિત છે.) તેથી જેવી વ્યુત્પત્તિ છે તેવી જ પ્રતીતિ છે, [અર્થાત જે પદની સાથે જે અને સંબંધ સંકેતકાળે રહ્યો હતે તે પદમાંથી જ તે જ અર્થની પ્રતીતિ વ્યવહારકાળે થાય છે.] એટલે, કોઈ દેષ નથી. આસન્ન કાળે અર્થાત તદ્દન નજીકના કાળે ઉત્પત્તિ પામેલા અનુભવ પછી તરત જ થનારી સ્મૃતિ અનુભવના જેવી જ ગણાય. 136. अथ वा कृतं स्मरणकल्पनया । अन्त्यपदार्थज्ञानानन्तरं सकलपदपदार्थविषयो मानसोऽनुव्यवसायः शतादिप्रत्ययस्थानीयो भविष्यति । तदुपारूढानि पदानि वाक्यं, तदुपारूढश्च पदार्थों वाक्यार्थः । तथाविधश्च मानसोऽनुव्यवसायः सकललोकसाक्षित्वादप्रत्याख्येयः । 136. અથવા, સ્મરણની કલપના કરવાની કોઈ જરૂર નથી. અન્ય પદાર્થના જ્ઞાન પછી તરત જ બધા જ પદ અને પદાર્થો વિષયક માનસ અનુવ્યવસાય, સો વગેરે સંખ્યાઓના જ્ઞાન જેવ, થશે. તે માનસ અનુવ્યવસાયમાં ઉપારૂઢ પદો વાક્ય છે, અને તે માનસઅનુવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy