SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક કારમીરના રાજા શંકરવમના રાજ્યકાળમાં (ઈસ. ૮૮૫ ૯૦૨) થઈ ગયેલા કાશ્મીરી પંડિત જયંત ભટ્ટની ન્યાયમંજરી સંસ્કૃત દાર્શનિક સાહિત્યનું અણમોલ રત્ન છે. એક બાજુ તેની ચિંતનસમૃદ્ધિ બુદ્ધિષક અને વિચારપ્રેરક છે, તે બીજી બાજુ તેની કાવ્યમય શેલી ચિત્તાકર્ષક અને આહલાદક છે. ભારતીય દર્શનની મુખ્ય શાખાઓના ચિંતનને ધ્યાનમાં લઈ તેની સઘળી સમસ્યાઓનું તૈયાયિકની દૃષ્ટિએ વિશદ વિવરણ પ્રસ્તુત કરતો હોઈ તે ભારતીય દર્શનશાસ્ત્રને પ્રતિનિધિરૂપ પ્રૌઢ ગ્રંથ બની ગયું છે. આ પૂર્વે અમે ગુજરાતી અનુવાદ સહિત પાંચ આફ્રિકા પ્રકાશિત કર્યા છે–પ્રથમ ત્રણ આહ્નિકે ત્રણ અલગ અલગ પુસ્તકોમાં અને ચોથું અને પાંચમું આહૂનિક એક સાથે એક પુસ્તકમાં. પ્રસ્તુત પાંચમાં પુસ્તકમાં છઠ્ઠા, સાતમા, આઠમા અને નવમા એમ ચાર આનિકોને ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આહ્નિકમાં પ્રમાણનું લક્ષણ, પ્રમાણવિભાગ, પ્રમાણની સંખ્યા, અર્થપત્તિ અને અભાવની ચર્ચા પ્રધાનપણે છે. દ્વિતીય આહિકમાં પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એ ત્રણ પ્રમાણેનું પ્રતિપાદન છે. તૃતીય આહનિમાં શબ્દપ્રમાણ, ખ્યાતિવાદ, ઈશ્વર અને શબ્દનિત્યત્વની વિચારણું છે. ચોથા આહનિકમાં મીમાંસાના વેદાપૌરુષેયવાદની આલેચના કરી વેદકર્તવવાદની સ્થાપના કરવામાં આવી છે, અથર્વવેદનું પ્રથમ સ્થાપી તેને પ્રામાણ્યની સ્થાપના કરવામાં આવી છે, જેન–બૌદ્ધ આદિ અન્ય આગમના પ્રામાણ્યનું સમર્થન કરવામાં આવ્યું છે, વેદ ઉપર કરવામાં આવતા અપ્રામાણ્યના આક્ષેપને પરિહાર કરવામાં આવ્યું છે અને વેદનું પ્રામાણ્ય કાર્યાથમાં છે કે સિદ્ધાર્થમાં કે બનેમાં એ પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે પાંચમાં આહનિકમાં બૌદ્ધોના અપવાદનું ખંડન કરી ન્યાયના જાતિવાદની સ્થાપના કરવામાં આવી છે, પદને વાચ્ય અર્થ આકૃતિ છે, જતિ છે કે વ્યક્તિ છે એ પ્રશ્નની વિચારણું કરવામાં આવી છે અને વાકયા શે છે એ પ્રશ્ન પર અનેક મતોની આલેચના કરી ન્યાયમતની સ્થાપન કરવામાં આવી છે. જે ચાર આહનિકોને સમાવેશ પ્રસ્તુત પુસ્તકમાં છે તેમનામાં ચર્ચવામાં આવેલી દાર્શનિક સમયાઓની ઝાંખી નીચે મુજબ છે. છ આદુનિકમાં ફેટવાદની વિસ્તૃત સમજુતી આપી, તેનું ખંડન કરી ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે અહીં વર્ષો અર્થપ્રત્યાયન કેવી રીતે બને છે તેની વિશદ છણાવટ કરવામાં આવી છે. ત્યાર પછી વાકયાથબંધ કેવી રીતે થાય છે એ ચર્ચામાં પદાર્થો (= પદના અર્થો) વાક્યર્થ બુદ્ધિના જનક છે એ મીમાંસક મતની આલોચના કરી પદે જ પદાર્થના પ્રતિપાદન દ્વારા વાક્ષાર્થમાં પર્યવસાન પામે છે એ ન્યાયમતની સ્થાપના કરવામાં આવી છે. નૈયાયિકને સિદ્ધાંત છે કે પદની અભિધાશક્તિની વિરતિ પછી પણ તેમની તાત્પર્યશકિત તે કાર્ય કરે છે જ. ઉપરાંત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy