SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પદ કે વાકય એક અખંડ અવયવી નથી કે વાકયના શ્રૌત્રજ્ઞાનમાં તે ભાસતું નથી તેમ. એ સાચું જ કહ્યું છે કે પદનું શ્રૌત્રજ્ઞાન કે વાક્યનું શ્રેત્રજ્ઞાન એક અખંડ અનુભવાય છે કારણ કે તે એક કાર્ય (=અર્થશાન રૂપ એક કાર્ય કરે છે, આથી પદનું શ્રૌત્રજ્ઞાન કે વાક્યનું શ્રૌત્રજ્ઞાન વનના જ્ઞાન અને સેનાના જ્ઞાનની સમાન યોગક્ષેમ ધરાવે છે. જાતિના જ્ઞાનમાં (અર્થાત તર્ગત એક કારતામાં) અવિશ્વાસ ન કરવો, કારણ કે જાતિના જ્ઞાન અને વનના જ્ઞાન વચ્ચેનું વૈક્ષિણ અમે દેખાડયું છે. એક કાર્ય (એકાÁજ્ઞાન રૂપ એક કાર્ય) કરતું હોવાને કારણે પદનું કે વાકથનું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે એ માન્યતામાં ઇતરેતરાશ્રયદષની જે આપત્તિ તમે આપે છે – એકાર્થ જ્ઞાનપૂર્વક પદનું કે વાક્યનું એક અખંડ શ્રૌત્રાન થાય છે અને પદ કે વાક્યના તેવા એક અખંડ શ્રોત્રાનપૂર્વક એકાથજ્ઞાન થાય છે તે પણ યોગ્ય નથી. સ્મરણ કરાતા વર્ણો અને અનુભવાતા અન્ય વર્ણ દ્વારા જન્મેલું આ અર્થજ્ઞાન છે એમ અમે કહ્યું છે, પદના એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂર્વક આ અર્થ જ્ઞાન નથી, તે પછી ઇતરેતરાશ્રયદેષ કયાં રહ્યો ? 76 ब्रयात पदवाक्ययोरेकत्वमन्तरेण कथं पदवाक्यार्थप्रतीतिरेकरूपा भवेदिति सोऽयमतीव मुग्धालापः, प्रतीतिभेदाभेदौ हि विषयभेदाभेदावनुरुध्येते, नोपायभेदाभेदौ । भिन्नैरपि लोचनालोकान्तःकरणप्रभृतिभिरुपायैरभिन्नार्थग्राहिणी बुद्धिरुपजन्यते एव । तदिह पदार्थबुद्धेरेकत्वात् पदार्थ एको · भवतु योऽस्या विषयः, न त्वेकं पदं यत्कारणमिति । वाक्यार्थबुद्धेरप्येकत्वादेको वाक्यार्थो भवतु, न त्वेकं वाक्यम् । वर्गीकरणकारणं क्रमभाविनां बहूनां वर्णानामेतद्भवति यदेकार्थप्रतिपादकत्वं, न त्वभेदमेव पदवाक्ययोर्गमयतीति । 76, જે ફોટવાદી કહે કે પદની એકતા – અખંડતા અને વાક્યની એકતા – અખંડતા વિના કેવી રીતે પદાર્થનું જ્ઞાન અને વાક્યાથતું જ્ઞાન એકરૂપ - અખંડ બને, તે તે તેમનું આ કહેવું અત્યંત મુગ્ધાલાપ છે, કારણ કે જ્ઞાનની એકતા – અખંડતા કે અનેકતા – ખંડ – ખંડતા વિષયની એક્તા – અખંડતા કે અનેકતા – ખંડખંડતા ઉપર આધાર રાખે છે, નહિ કે ઉપયની એકતા કે અનેકતા ઉપર. ચક્ષુ, પ્રકાશ, અંતઃકરણ વગેરે અનેક ઉપાય વડે પણ એકાર્યપ્રાહિણી (=અખંડાથગ્રાહિણીબુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. તેથી અહી પદાર્થનું જ્ઞાન એક અભિન્ન અખંડ હોવાથી પદાર્થ, જે તેને વિષય છે, તે એક અભિન્ન અખંડ હે; પરંતુ પદ, જે પદાર્થજ્ઞાનને ઉપાય છે તે, એક અભિન્ન અખંડ નથી. વાક્યર્થનું જ્ઞાન પણ એક અભિન્ન અખંડ હોવાથી તે જ્ઞાનનો વિષય વાક્યર્થ એક અભિન્ન અખંડ છે, પરંતુ વાક્ય એક અભિન્ન અખંડ નથી. જે એકાÁપ્રતિપાદકત્વ છે તે કમભાવી બહુ વણેને એક વર્ગમાં મૂકવાનું કારણ બને છે, પરંતુ તે પદની એકતા – અખંડતાને કે વાક્યની એકતા-અખંડતાને દર્શાવતું નથી. અર્થાત પદ કે વાક્ય એક અખંડ અવયવી નથી પણ ક્રમશઃ વર્ણ સમૂહ કે પદસમૂહ રૂપ જ છે.' 17. Tagધા gવ ચ વૈયાકરUTI: gવાક્યોરણમેટું મસ્તે મિત્ર, શાહુનभूत एव शब्दार्थ इति । स पुनरेषां व्यामोह एव तद्भेदस्य दृढप्रमाण Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy