SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ન્યાયકૃત ખંડન ૨૯૯ 165. નનું જ્ઞાનપત્રય: સ્વપૂરપ્રકારના રૂયાડું: ! તયુ, શદ્રदीपयोः स्वग्रहणेऽर्थप्रकाशने च सामप्रयन्तरसव्यपेक्षत्वात् । शब्दोऽर्थप्रकाशने समयग्रहणमपेक्षते, स्वप्रकाशने च श्रोत्रम् । दीपोऽपि चक्षुराधपेक्ष एव गृह्यते, ग्राहयति चार्थम् । इयांस्तु विशेषः – घटादिग्रहणे आलोकसापेक्षं चक्षुः प्रवर्तते, आलाकग्रहणे तु निरपेक्षमिति । नैतावता दीपस्य स्वप्रकाशता स्यात् । इत्थ च मार्जारादिनक्तंचर चक्षुरपेक्षया सर्व एव घटादयः स्वप्रकाशाः स्युः। ज्ञानस्य तु परप्रकाशकत्वमेव दृश्यते, न स्वप्रकाशकत्वम् , अर्थप्रकाशकाले तदप्रकाशस्य दर्शितत्वात् । मुधैव तस्माद् भणितास्त एते । त्रयः प्रकाराः स्वपरप्रकाशाः । प्रदीपबोधध्वनिनामधेयाः । विभिन्नसामग्रयभिवेद्यवेदकाः ।। • आत्मप्रत्यक्षवादिनां त्ववस्थाभेदेन ग्राह्यग्राहकांशयोर्भेदो विद्यते एवेति सर्वथा न स्वप्रकाशं विज्ञानम् । 165. વિજ્ઞાન દંતવાદી – જ્ઞાન, શબ્દ અને દીપ એ ત્રણ સ્વરપ્રકાશ છે એમ કહેવામાં આવ્યું છે. નૈયાયિક – તે અગ્ય છે, કારણ કે શબ્દ અને દીપને સ્વનું ગ્રહણ કરવામાં અને અર્થનું પ્રકાશન કરવામાં અન્ય સામગ્રીની સહાયની અપેક્ષા છે. અર્થનું પ્રકાશન કરવામાં શબ્દને સમયગ્રહણની અપેક્ષા છે જ્યારે સ્વનું પ્રકાશન કરવામાં શબ્દને શ્રોત્રેન્દ્રિયની અપેક્ષા છે દીપ પણ ચક્ષ આદિની સહાય પામીને જ પિતે ગૃહીત થાય છે અને અર્થને ગ્રહણ કરાવે છે. ઘણદિગ્રહણ અને દીપગ્રહણમાં ભેદ એટલે જ છે કે ઘટાદિનું ગ્રહણ કરવામાં ચક્ષુ પ્રકાશ (= આલેક = દી૫ની સહાય પામીને પ્રવૃત્ત થાય છે, જ્યારે દીપનું (= આલેકનું = પ્રકાશનું ગ્રહણ કરવામાં ચક્ષને બીજા દીપની (= પ્રકાશની) સહાયની આવશ્યકતા નથી પરંતુ એટલામાત્રથી દીપ સ્વપ્રકાશ ન બને. એ રીતે તો [અર્થાત ચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના દીપને ગ્રહણ કરતી હોવાથી દીપ સ્વપ્રકાશ બનતે હેય તે એ રીતે તે] માજરચક્ષુ દીપની અપેક્ષા રાખ્યા વિના પદાર્થોને ગ્રહણ કરતી હોવાથી મારચક્ષુની અપેક્ષાએ બધા ઘટ વગેરે પદાર્થો સ્વપ્રકાશ બની જાય. જ્ઞાનમાં પરપ્રકાશિત્વ જ દેખાય છે, સ્વપ્રકાશ દેખાતું નથી, કારણ કે અર્થપ્રકાશકાળે જ્ઞાનને પ્રકાશ હોતો નથી એ અમે દર્શાવી ગયા છીએ. તેથી પ્રદીપ બુધ અને શબ્દ આ ત્રણ પ્રકારની વસ્તુઓ સ્વપરપ્રકાશ છે એમ ખોટું જ કહ્યું છે, કારણ કે સ્વ અને પરને ગ્રહણ કરવામાં તે ત્રણે જુદી જુદી સામગ્રીની સહાય લઈને જ સ્વ અને પરને ગ્રહણ કરે છે જેઓ આભપ્રત્યક્ષવાદીઓ છે તેઓને તે આત્માની અવસ્થાઓના ભેદે ગ્રાહ્યાંશ અને ગ્રાહકાંશને ભેદ છે જ એટલે જ્ઞાન કોઈ પણ રીતે સ્વપ્રકાશ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy