SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ જ્ઞાનનું સ્વપ્રકાશ સંભવતું નથી નૈયાયિક - અનુત્પન જ્ઞાનથી ઉત્પન્ન જ્ઞાન ભિન્ન કેમ નહિ ? ભિન્ન જ છે. તેથી અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળાં જ્ઞાન હોવાથી તેવા તેવા જ્ઞાનને ઉત્પાદ એ જ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે અને નહિ કે[અર્થને પ્રત્યક્ષ જાણવાના સ્વભાવવાળા] જ્ઞાનનું ગ્રહણ એ જ્ઞાનની અર્થ પ્રત્યક્ષતા છે. નિષ્કર્ષ એ કે અગૃહીત જ જ્ઞાન અર્થનું પ્રકાશક છે એમ સ્વીકારવું ગ્યા છે. ઉપાય છે તેનું ગ્રહણ પહેલાં થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે અનકાતિક છે કારણ કે ચક્ષુ વગેરે ઉપાય હોવા છતાં તેમનું ગ્રહણ જ થતું નથી. જે ગૃહીત જ્ઞાન અર્થનું પ્રકાશક બનતું હોય તે તે ઘૂમની જેમ અર્થનું પ્રકાશક બને છે કે પિની જેમ તે જણાવવું જોઈએ. જો ધૂમની જેમ તે અર્થનું પ્રકાશક બનતું હોય તે અર્થો અનુમય બની જાય, પરંતુ અર્થો અનુમેય છે એ [સૌત્રાન્તિક] મતને તે તમે દુષિત દર્શાવ્યું છે. જે તે દીપની જેમ અર્થનું પ્રકાશક બનતું હોય તે [પ્રકાશ્ય ઘટ અને પ્રકાશક દીપ એ બે આકારોની સંવિત્તિની જેમ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ થવી જોઈએ, પર તુ અર્થ અને જ્ઞાન એ બે આકારોની સંવિત્તિ ન હોવાથી આ પક્ષ પણ ઘટતો નથી. “ઘટને દીપ વડે હું દેખું છું' એમ બે આકારની સંવિત્તિનું સંવેદન છે પરંતુ જ્ઞાન વડે શેયને હું જાણું છું” એમ બે આકારની સંવિત્તિનું સંવેદન નથી. જ્ઞાનમાં પ્રકાશિત્વ હોવાને કારણે પ્રદીપની જેમ તેનું પ્રહણ થાય છે એમ જે તમે પહેલાં કહ્યું તેને પણ સમજાવવું જોઈએ. “પ્રકાશત્વ હેવાને કારણે એને શો અર્થ છે ? . પ્રજરાતીતિ પ્રજારા, તર્ક્સ માવા ઘરાવમિતિ | તન્નક્ષુરાદ્વિમિરनैकान्तिकमुक्तमेव । अथ प्रकाशनं प्रकाशः, तर्हि प्रकाशत्वादित्यसिद्धो हेतुः । न ह्यर्थग्रहणकाले बुद्धेः प्रकाशनमस्ति । 163. વિજ્ઞાનાતવાદી – જે પ્રકાશિત કરે છે તે પ્રકાશ છે; પ્રકાશને ભાવ પ્રકાશત્વ છે. ૌયાયિક – તેવું પ્રકાશવ તે જે ચક્ષુ વગેરેનું ગ્રહણ નથી થતું તેમાં પણ છે. તેથી “પ્રકાશત્વ હેવાને કારણે એ હેતુ અનેકાતિક છે એમ અમે અગાઉ જણાવ્યું જ છે. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશવું તે પ્રકાશ છે. યાયિક – તે પ્રકાશવ હેવાને કારણે એ હેતુ અસિદ્ધ બનશે, કારણ કે અર્થ ગ્રહણકાળે જ્ઞાન પ્રકાશતું નથી. 164. अथ प्रकाशशब्दो बोधपर्याय एव । प्रकाशत्वाद् बोधरूपत्वादित्यर्थः । तदा साधनविकलो दृष्टान्तः, प्रदीपस्य बोधरूपत्वाभावात् । अतश्च स्वसंवेदनपक्षो न युक्तियुक्तः, स्वत:प्रकाशस्य कस्यचिदप्यदृष्टत्वात् । 164. વિજ્ઞાનદૈતવાદી – પ્રકાશ' શબ્દ એ બોધને જ પર્યાય છે. પ્રકાશવ હોવાને કારણે એટલે બોધપણું હોવાને કારણે. નૈયાયિક – આમ માનતાં તે દૃષ્ટાન્ત સાધનવિકલ બની જશે, કારણ કે પ્રદીપમાં બોધરૂપતાને અભાવ છે. તેથી જ્ઞાનનું સ્વસંવેદન સ્વીકારતા પક્ષ તર્કસંગત નથી. જ્ઞાનના સ્વત પ્રકાશને કેઈ ને અનુભવ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy