SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ અવિદ્યા શું છે? પરમાર્થતઃ સત તે મૃત્તિકા જ છે. કહ્યું પણ છે કે વૃત્તિકા જ સત છે [છાંદોગ્ય. ૬.૧.]. એ જ રીતે, તે મૃત્તિકારૂપ પણ સત્તાની અપેક્ષાએ પરમાર્થસત નથી, સત્તા જ સર્વત્ર પરમાર્થ સત છે. તે સત્તાને જ સલક્ષણ બ્રહ્મ કહેવાયું છે. એક જ છે, અદ્વિતીય છે' [છાંદોગ્ય ૬.૨.૧] ઇત્યાદિ આગમ અભેદનું જ દર્શન કરાવે છે અને કહે છે કે “અહી કંઈ નાના નથી. જે અહીં નાના જુએ છે તે મૃત્યુથી મૃત્યુ પામે છે'. [તે એક જ છે, અદ્વિતીય છે એ આગમવચન સિદ્ધ અર્થનું પ્રતિપાદન કરતું હોઈ અપ્રમાણ છે એમ કહેવું યોગ્ય નથી કારણ કે વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણ છે એમ તમે નૌયાયિકોએ નિરૂપ્યું છે. અમેદવાચી આગમ પ્રત્યક્ષવિરુદ્ધ છે એમ કહેવું શક્ય નથી અન્યને નિષેધ કરવામાં પ્રત્યક્ષ સમર્થ નથી, કારણ કે સ્વરૂપમાત્રને ગ્રહણ કરવામાં જ તેને વ્યાપાર પૂર્ણ થઈ જાય છે. અને પરરૂપનિષેધ વિના ભેદ દુર્ઘટ હેઈ, ભેદ ગ્રહણ કરવામાં પ્રત્યક્ષ કુંઠ જ છે. એટલે તે પ્રત્યક્ષ કેવી રીતે અભેદગ્રાહી આગમને વિરોધ કરે ? તેથી જ કહ્યું છે કે “બુદ્ધિમાને પ્રત્યક્ષને વિધાયક કહે છે, નિષેધક કહેતા નથી, તેથી એકcપ્રતિપાદક આગમને પ્રત્યક્ષ વિરોધ કરતું નથી.” ___75. ननु यद्येकमेव ब्रह्म, न द्वितीयं किञ्चिदस्ति, तर्हि तद् ब्रह्म नित्यशुद्धबुद्धस्वभावत्वात् मुक्तमेव आस्ते । केन तद् बद्धमिति ?किमर्थोऽयं मुमुक्षुणां प्रयत्नः? कुतस्त्यो वाऽयं विचित्रजगदवभासः ? अविद्योच्छेदार्थों मुमुक्षुप्रयत्नः इति ब्रमः । ततस्त्य एवायं विचित्रजगदवभासः । 75. યાયિક – જે બ્રહ્મ એક જ હય, બીજુ કંઈ હેય જ નહિ તો તે બ્રહ્મ નિત્ય-શુદ્ધ-બુદ્ધસ્વભાવવ નું હેઈ, મુક્ત જ રહે. તે શેનાથી બદ્ધ છે ? મુમુક્ષુઓ શા માટે આ પ્રયત્ન કરે છે ? વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે ? અતદાતી – અવિદ્યાને નાશ કરવા માટે મુમુક્ષુઓ પ્રયત્ન કરે છે. અવિદ્યાને કારણે જ વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે. 16. વમવિદ્યા નામ? ત્રહ્મ તિરિ વૈત, નાતમ્ | ગષ્યતિરે तु ब्रह्मैव सा, ततो नान्याऽस्त्येषेति कथमुच्छिद्येत ? मैवं, वस्तुनीदंशि तार्किकचोद्यानि क्रमन्ते । अविद्या त्वियमवस्तुरूपा माया मिथ्याभासस्वभावाऽभिधीयते । तत्त्वाग्रहणमविद्या । अग्रहणं च नाम कथं वस्तुधमै : विकल्प्यते ? 76. Rયાયિક – અવિદ્યા શું છે ? જો તે બ્રહ્મથી અતિરિક્ત હોય તે અત રહેતું નથી. જો તે બ્રહ્મથી અભિન્ન હોય તે તે બ્રહ્મ જ છે, બ્રહ્મથી અન્ય તે છે જ નહિ, એટલે તેને ઉછેદ કેવી રીતે થાય ? અવેદાન્તી – ના, એવું નથી. તાકિકે આવા આક્ષેપ વસ્તુઓ ઉપર કરી શકે. પરંતુ આ અવિદ્યા તે અવસ્તુરૂ૫ છે, માયા છે, મિયા અભાસ તેને સ્વભાવ છે, એમ કહેવાયું છે. તે ત્વનું અગ્રહણ અવિદ્યા છે. અગ્રહણની બાબતમાં વસ્તુધર્મોને લઈ વિકલ્પ કેવી રીતે થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy