SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ નિરંશ વાક્યના અંશોની કલ્પના કરવાનું પ્રજન પાછળ તેનો અર્થ પણ આવત દેખાય છે એટલે ભાગ [અર્થાત વાક્યના ભાગ પદે અને વાક્ષાર્થના ભાગો પદાર્થો ] પરમાર્થ છે. સ્ફોટવાદી – ના; કૂપ, સૂપ, ચૂપ, આ ત્રણેય શબ્દોમાં ૫ એ એક અક્ષર સમાનપણે આવે છે પરંતુ તે ત્રણ શબ્દોના જે અર્થો છે તેમાં પની પાછળ પાછળ ત્રણેય શબ્દોમાં આવતે કઈ સમાન અર્થ છે નહિ. અમુકની પછી અમુક થાય છે એટલા માત્રથી પછી થનારનું તે કારણું છે એમ કહેવું શક્ય નથી, કારણ કે ધૂળને ગોટાઓ ઊંચે ચઢવા પલાં જેમ હાથી, ઘોડા દોડતા દેખાય છે તેમ કીડીઓની હાર પણ ચાલતી દેખાય છે, પરિણામે કીડીઓની હારના ચાલવાને ધૂળના ગોટા ઊડવાનું કારણ માનવાની આપત્તિ આવે. તેથી પ્રકૃતિ અને પ્રત્યય એ બે અંશેની જેમ અસત પદાર્થની ક૯પનાને આશરે વાકક્ષાર્થ જ્ઞાનના ઉપાય તરીકે લેવામાં આવે છે, પરંતુ પદાર્થ વાક્યાથંમાં જણાતું નથી, જેમ અશ્વનો અર્થ અને કર્ણને અર્થ “અશ્વકર્ણના અર્થમાં જણાતો નથી તેમ. અસત્ય પણ સત્યને ઉપાય બનતું દેખાય છે, અસત્ય સર્પદંશ વગેરે સત્ય મરણનું કારણ બને છે. લિપિના અક્ષરો અસત્ય જ છે, તેઓ સત્ય અર્થનું જ્ઞાન કરાવે છે. જે કહે કે લિપિના અક્ષરે સ્વરૂપથી તે સત્ય છે તે અમે કહીશું કે ના, રેખારૂપે તેઓ અર્થના પ્રતિપાદક નથી, આ ગાર છે એ પ્રમાણે ગ્રહણ કરાયેલી રેખાઓ અર્થજ્ઞાનનું કારણ છે. તે રેખાઓ જે રૂપે સત્ય છે તે રૂપે અર્થપ્રતિપાદક નથી અને જે રૂપે અર્થપ્રતિપાદક છે તે રૂપે સત્ય નથી. 26. નનુ પ્રતિકારાચંદ ગરિ પરમાર્થાન્ત વ, તથા પ્રતિમાસાત્, तदर्थ प्रत्ययहेतुत्वाच्च । नैतदेवम् , अन्वाख्यानभेदेन तेषां स्वरूपेणेयत्तानिश्चयानुपपत्तेः । भवतीत्यत्र भूशब्दः प्रकृतिः क्वचिदन्वाख्यायते, क्वचिद्भवशब्दः । प्रत्ययादेशागमगुणवृद्धिवर्णलोपाद्यन्वाख्यानविसंवादात् कः पारमार्थिकः प्रकृतिप्रत्ययविभागः ? कल्पनामात्रं त्वेतत् ‘इयं प्रकृतिरेष प्रत्ययः' इति । एवं पदार्थानामपि वाक्यार्थात् परिकल्पनयैवापोद्धारः । तदुक्तम्पदं कैश्चिद् द्विधा भिन्नं चतुर्धा पञ्चधाऽपि वा । अपोद्धृत्यैव वाक्येभ्यः प्रकृतिप्रत्ययादिवत् ॥ इति [वाक्यप० ३.१] 26. શંકાકાર–પ્રકૃતિ, પ્રત્યય, વગેરે અંશે પણ પરમાર્થ સત જ છે, કારણ કે તેઓ તેવા જણાય છે અને તેઓ અર્થજ્ઞાનનું કારણ છે. ફોટવા–ના, એવું નથી. વ્યાખ્યાતાઓ એક જ શબ્દની ભિન્ન ભિન્ન સમજુતી આપતા હે ઈ પ્રકૃતિ, પ્રત્યય વગેરે અંશોનું સ્વરૂપ આટલું જ છે એવો નિશ્ચય ઘટતા નથી. મવતિ' એ શબ્દમાં ‘મૂ' શબ્દ પ્રકૃતિ છે એમ કોઈ વાર સમજાવવામાં આવે છે; કોઈ વાર મવ' શબ્દ પ્રકૃતિ છે એમ સમજાવવામાં આવે છે. પ્રત્યય, આદેશ, આગમ ગુણ, વૃદ્ધિ, વણલેપ વગેરે ભાષાશાસ્ત્રીય રીતે શબ્દને સમજાવવાની પ્રક્રિયાઓ વિસંવાદી હાઈ પ્રકૃતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy