SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કારણભૂત દેના વિનાશથી થાય છે. એટલે પ્રવૃત્તિના કારણભૂત દોષોને વિનાશ કરવો જોઈએ. દેનું કારણ મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનને નાશ કરવાને ઉપાય તત્ત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન મિથ્યાજ્ઞાનનું બાધક છે એ વાત પ્રસિદ્ધ છે અને એનું સમર્થન અમે પહેલાં વિસ્તારથી કર્યું છે. તેથી તત્ત્વજ્ઞાન વડે ક્રમથી મિથ્યાજ્ઞાન, ષ, પ્રવૃત્તિ, જન્મ અને દુખની નિવૃત્તિ થતાં અપવર્ગ પ્રાપ્ત થાય છે. 27. यद्यपि च मिथ्याज्ञानमपि जन्मकार्यम्, अशरीरस्यात्मनो मिथ्याज्ञानानुपपत्तः, इतरेतरकार्यकारणभावेन च बीजाङकुरवदनादिप्रबन्धप्रवृत्तेन प्रवर्तमाना मिथ्याज्ञाનાવવો માવા: હંસાર યુરતે , તથાપિ તરવાળો ચિત્તાયાં કુત: પ્રકૃતિ उच्छेद उपक्रम्यतामिति विचार्यमाणे विशेषनियमाभावत् यतः कुतश्चिदिति प्राप्ते मिथ्याज्ञानस्य प्रतिकूलमुच्छेदकारणं तत्त्वज्ञानमुपलब्धमिति विशेषे प्रमाणाभावात् तदुच्छेद एवोपक्रम्यते । 27. જો કે શરીર વિનાના આત્માને મિથ્યાજ્ઞાન ઘટતું ન હેઈ, મિથ્યાજ્ઞાન પણ જન્મનું કાર્ય છે, અને પરસ્પર કાર્યકારણે ભાવથી બીજ અને અંકુરની જેમ અનાદિ પ્રવાહમાં વહેતા રહેવાથી વર્તમાન બનેલા મિથ્યાજ્ઞાન વગેરે ભાવો સંસાર કહેવાય છે, તેમ છતાં તેમનાં કારણેના ઉછેદની વિચારણા વખતે ક્યાંથી ઉચ્છેદ શરૂ કરાય ?' એમ વિચારતાં વિશેષ નિયમ ન હોવાથી ગમે ત્યાંથી’ એમ પ્રાપ્ત થતાં, મિથ્યાજ્ઞાનનું પ્રતિકૂળ એવું એનું ઉચ્છેદકારણ તત્ત્વજ્ઞાન ઉપલબ્ધ થયું છે એટલે [અમુકના ઉછેદથી શરૂ કરવું એવા] વિશેષમાં કોઈ પ્રમાણ ન હોવાથી, મિથ્યાજ્ઞાનના ઉચછેદથી શરૂઆત કરવામાં આવે છે. 28. अत एव मिथ्याज्ञानमूलः संसार उच्यते, तस्मिन्नुच्छिन्ने तदच्छेदसम्भावात् । न ततः प्रभृति संसारः प्रवर्तते इति निपुणमतिभिरपि निर्धारयितुं शक्यम् , अनादित्वात् तस्येति । तदेवं तत्त्वज्ञानान्मिथ्याज्ञानापाये तत्कार्यदोषापायः, दोषापाये प्रवृश्यपायः, प्रवृत्त्यपाये जन्मापायः, जन्मापाये दुःखापायः, स एवापवर्ग इति । तदिदमुक्तम् 'उत्तरोत्तरापाये तदनन्तरापायात् ' इति । 28. એટલે જ સંસારનું મૂળ મિથ્યાજ્ઞાન કહેવાય છે, કારણ કે મિથ્યાજ્ઞાનને ઉછેદ થતાં સંસારને ઉછેદ સંભવે છે. અમુક વખતથી સંસાર શરૂ થયું છે એમ નિપુણમતિવાળાઓએ પણ નકકી કરવું શક્ય નથી કારણ કે સંસાર અનાદિ છે. તેથી આમ તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનને નાશ થતાં મિથ્યાજ્ઞાનના કાર્ય દેષને નાશ થાય છે, દેશને નારા થતાં પ્રવૃત્તિને નાશ થાય છે, પ્રવૃત્તિને નાશ થતાં જન્મને નાશ થાય છે, જન્મને નાશ થતાં દુઃખને નાશ થાય છે, તે દુઃખવિનાશ જ અપવર્ગ છે. એટલા માટે જ સૂત્રકારે કહ્યું છે કે “ઉત્તર ઉત્તરને નાશ થતાં તેમના અનન્તર પૂર્વ પૂર્વ નાશ થવાથી'. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy