SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વણેનું પ્રત્યક્ષ ઔપાધિક છે, ફોનું વાસ્તવિક છે 21. શંકાકાર- ચોરના જેવું અપૂર્વ આચરણ અહીં કેમ છે ? વણે પ્રત્યક્ષ રીતે જ્ઞાત થતા હોવા છતાં કમનસીબ તેઓ પ્રત્યક્ષ નથી જ્યારે સ્ફોટ પ્રત્યક્ષ રીતે દેખાતે ન હોવા છતાં નસીબવાળો તે પ્રત્યક્ષ છે. ફેટવાદી–અમે કહેતા નથી કે વણે પ્રત્યક્ષ નથી. [ અમે એમ કહીએ છીએ કે ] વર્ષે અસત હોવા છતાં ઉપાધિને કારણે દેખાય છે—જેમ મુખની દીર્ધતા શ્યામતા આદિ અસત હોવા છતાં તલવાર, મણિ આદિ ઉપાધિને કારણે દેખાય છે તેમ પરંતુ શબ્દસ્ફોટ તે એક નિરવયવ પ્રતીત થાય છે. “પદ' “વાક્ય” એમ એક આકારવાળી પ્રતીતિ થાય છે તે પ્રતીતિમાં ભિન્ન વણે વિષય બનતા નથી, કારણ કે સામાન્યના જ્ઞાનમાં વ્યક્તિ વિષય બનતી નથી કે અવયવીના જ્ઞાનમાં અવયવ વિષય બનતો નથી. જેમ સેના, વન વગેરેના જ્ઞાને અયથાર્થ છે તેમ પદજ્ઞાન અને વાક્યજ્ઞાન અયથાર્થ નથી, કારણ કે તેમના બાધકજ્ઞાનને અભાવ છે. ___ 22. एकार्थप्रत्ययवत्त्वोपाधिकृतेयमेकाकारा बुद्धिरिति चेत् , एकार्थप्रतीतिरिदानी कुतस्त्या ? पदवाक्यप्रतीतिपूर्विका हि पदार्थवाक्यार्थप्रतीतिः, पदार्थवाक्यार्थप्रतीत्याख्यकार्य क्याच्च पदवाक्यबुद्धिरेकाकारेति दुरुत्तरमितरेतराश्रयत्वम् । औपाधिकत्वं च सामान्यावयविबुद्धेरपि सुवचम् । बाधसन्देहरहितप्रतीतिदाढर्यात् तत्र परिहार इति चेत् , तदितरत्रापि समानम् । तस्मात् पदबुद्धेः पदस्फोटो वाक्यबुद्धेश्च वाक्यस्फोटो विषय इति प्रत्यक्ष एव स्फोटः । तत्र पदस्फोटात् पदार्थप्रतिपत्तिः, वाक्यस्फोटाच्च वाक्यार्थप्रतिपत्तिः । _22. પદમાં કે વાક્યમાં એકાકારવાળી બુદ્ધિ પદ કે વાક્યની એકાWજ્ઞાનોત્પાદકત્વરૂપ ઉપાધિને લીધે થાય છે એમ જે તમે કહેશે તો અમે પૂછીશું કે એકાર્થજ્ઞાન થયું ક્યાંથી ? પદજ્ઞાન કે વાક્યજ્ઞાનપૂર્વક પદાર્થજ્ઞાન કે વાક્યર્થ જ્ઞાન થાય છે, અને પદાર્થજ્ઞાન કે વાક્ષાર્થજ્ઞાન નામના એક કાર્યને આધારે પદમાં કે વાક્યમાં એક આકારવાળી બુદ્ધિ થાય છે–આ રીતને ઇતરેતરાયદેષ દુરુત્તર છે. વળી, સામાન્યનું જ્ઞાન અને અવયવીનું જ્ઞાન પણ પાધિક છે એમ કહેવું સરળ બનશે. [ દાહરૂપ એક ક્રિયા બધી અગ્નિવ્યક્તિઓ કરતી હોવાથી અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે, આમ દાહની એક ક્રિયા કરવારૂપ ઉપાધિને લીધે અગ્નિત્વ સામાન્યનું જ્ઞાન થાય છે એમ કહેવું સરળ બનશે. તેવી જ રીતે બધા તંતુઓ સાથે મળી આચ્છાદનરૂપ એક ક્રિયા કરતા હોવાથી એક પટ અવયવીનું જ્ઞાન થાય છે એમ કહેવું સહેલું બનશે. ] જે તમે કહે કે બાધસંદેહ રહિત દઢ પ્રતીતિને કારણે ત્યાં સામાન્યના જ્ઞાન અને અવયવીને જ્ઞાનના પાધિકપણાને પરિહાર થાય છે તે અમારે કહેવું જોઈએ કે પદમાં કે વાક્યમાં થતી એક આકારવાળી બુદ્ધિની બાબતમાં પણ સમાનપણે આ જ કહેવાય. તેથી પદબુદ્ધિને વિષય પદસ્ફટ છે અને વાચબુદ્ધિને વિષય વાસ્કેટ છે, એટલે સ્ફોટ પ્રત્યક્ષ જ છે. ત્યાં પદસ્ફોટમાંથી પદાર્થનું જ્ઞાન થાય છે અને વાક્યફોટમાંથી વાક્યાથનું જ્ઞાન થાય છે. 23. ગાë– નિરવયવ: wોટામાં શો મત, વાવયપિ દ્ gવ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy