SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સાંખ્યોએ કરેલી સત્કાર્યવાદની સ્થાપના એટલે હેતુ સિદ્ધ તેનાથી પ્રધાનની સિદ્ધિ થતી નથી. વળી, બિચારા સાંઓને સર્વ સર્વત્ર છે' આ ભ્રમ સત્કાર્યવાદમૂલક છે. તે ભ્રમને લીધે અન્વયને સિદ્ધ માની તેઓ પ્રધાનની સિદ્ધિ કરવા કૃતનિશ્ચય બન્યા છે. પરંતુ વિચાર કરતાં તે સત્કાર્યવાદ જ ઘટતા નથી તે પછી હેતુસિદ્ધિ કયાંથી ? 92. નનુ લાઈવ વર્ષારામા મવતિ માવાનાં, નાન્યથા | તથા हिं चतुष्टयी गतिरिह स्यात् । घटादिकार्य मृत्पिण्डादिना कारणेन क्रियमाणमपि सद्वा क्रियते, असद्वा, सदसद्वा, अनुभयं वेति । 92. સાંખ્ય – [ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં અવ્યક્ત દશામાં હોય છે જ એવું અમે માનીએ છીએ એટલે અમને સત્કાર્યવાદી તરીકે ઓળખવામાં આવે છે. અમારા] સહાય. વાદમાં જ વસ્તુઓને કાર્ય કારણભાવ બને છે, અન્યથા બનતા નથી. તે આ પ્રમાણે – અહીં ચાર જ ગતિ છે : મૃપિંડ આદિથી ઉત્પન્ન કરાતું ઘટાદિ કાર્યો જે ઉત્પત્તિ પૂર્વે અસત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વે સત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વ સદસત હતું તેને ઉત્પન્ન કરાય છે કે જે ઉત્પત્તિ પૂર્વે અનુભયસ્વભાવ (અર્થાત ન સત ન અસત) હતું તેને ઉત્પન્ન કરાય છે ? 93. तत्रासतः करणे खरविषाणादेरपि करणं स्यात् । असत्वे हि घटस्य खरविषाणस्य च को विशेषः ? घटस्यापि च प्रागभावप्रध्वंसाभावदशयोरसत्वाविशेषात् प्रागभावदशायामिव प्रध्वंसावस्थायामपि करणं भवेत् । असत्करणे नियतोपादानग्रहणं न प्राप्नोति । तैलार्थी हि तिलसर्षपानुपादत्ते, न सिकताः । असत्त्वे च तैलस्य को विशेषः सर्षपाणां सिकताभ्यः ? असति कार्ये निरालम्बनः कारकव्यापारो भवेत् , न ह्यसौ मृत्पिण्डादिविषयो भवितुमर्हति, कार्य चासत् । अपि चाविद्यमाने कारणव्यतिरिक्ते च कायें जन्ये कारणस्य मृत्पिण्डादेर्घटादिकार्य जनितवतः किमिति न स्वरूपमुपलभ्यते । 93. અસતને ઉત્પન્ન કરાય તે ખરશૃંગને પણ ઉત્પન્ન કરાય. અસત્ ઘટની ખરશંગથી શી વિશેષતા છે? પ્રાગભાવ અને પ્રર્વસાભાવની બે દશામાં પણ ઘટ સભાનપણે અસત હોવાથી જેમ પ્રાગભાવદશામાં ઘટની ઉત્પત્તિ કરવામાં આવે તેમ પ્રધ્વંસદશામાં પણ ઘટની ઉત્પત્તિ કરવામાં આવે. ઉત્પત્તિ પૂર્વે જે અસત હોય તે કાર્યને ઉત્પન્ન કરવાનું હોય તે અમુક નિયત ઉપાદાનકારણને ગ્રહણ કરવાનું પ્રાપ્ત ન થાય. તેલાથી તલ, સરસવને ગ્રહણ કરે છે, રેતીને ગ્રહણ કરેતો નથી. તૈલ જે ઉત્પત્તિ પૂર્વે અસત હોય તે સરસવને ગ્રહણ કરે કે રેતીને, એમાં શો ફરક પડે છે ? તથા જે ઉત્પત્તિ પહેલાં કાર્યો અસત્ હોય તે કારક વ્યાપારનું કોઈ આલંબન (= વિષય) નહિ રહે. કારણ કે કારવ્યાપારને વિષય બનવા મૃપિંડ આદિ યોગ્ય નથી અને જે મેગ્ય છે તે] કાર્ય (Eઘટ) તે અસત છે. વળી, અવિદ્યમાન (aઉત્પત્તિ પૂર્વે અસત) અને કારણથી ભિન્ન કાર્ય ઉત્પાદ હેય તે કારણ મૃપિંડ આદિનું સ્વરૂપ ઘટ આદિ કાર્યો ઉત્પન્ન કરી દીધા પછી કેમ ઉપલબ્ધ થતું નથી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy