SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ બુદ્ધિનું લક્ષણ શંકાકાર – આ તે પર્યાયશબ્દોનું ઉચ્ચારણ છે, બુદ્ધિના લક્ષણનું પ્રતિપાદન નથી. નૈયાયિક – ના, એમ નથી, કારણ કે પર્યાયશબ્દોને પ્રયોગ જ લક્ષણ બનવા સમર્થ છે. જે સજાતીય અને વિજાતીયથી લક્ષ્યને વ્યવછેદ કરે, લક્ષ્યને જુદું પાડી આપે તેને લક્ષણ કહેવામાં આવે છે. બુદ્ધિ વગેરે પર્યાયશબ્દથી વાચ્ય હોવાપણું જ બુદ્ધિને સજાતીય અને વિજાતીયથી જુદી પડે છે, એટલે આ કેવળ નામ જ નથી. 62. ननु सामयिकत्वाच्छब्दार्थप्रत्ययस्य, समयस्य च पुरुषेच्छानुवर्तित्वात् कमिदं व्यवस्थितं लक्षणं स्यात् ? मैवम् , सार्वजनीनस्य समयस्य विप्लावयितुमशक्यत्वात् तद्विशिष्टस्य तद्वाच्यस्य च लक्षणत्वात् । 62. શંકાકાર – શબ્દાર્થનું જ્ઞાન તે સંકેતસમયને આધારે થાય છે અને સંકેતસમય તો પુ છાધીન છે, એટલે આ લક્ષણ બુદ્ધિનું જ છે એ કેવી રીતે નક્કી થાય ? નૈયાયિક – ના, એવું નથી, કારણ કે સાર્વજનીન સંકેતસમયને અનાદર કરે કે એને તેડ અશક્ય છે, વળી અમુક શખથી વિશિષ્ટ છે અને અમુક શબ્દથી વાગ્ય છે એમ જણાવવું એમાં લક્ષણનું લક્ષણપણું છે. 63. प्रकारान्तरेण लक्षणमस्याः किमिति नोक्तमिति चेत् , शिशिपाचोद्यमिदम् । तस्मिन्नप्युक्तेऽनुयुञ्जीत भवान् ‘इत्थं किमिति नोक्तम्' इति । 63. શંકાકાર – બીજી રીતે બુદ્ધિનું લક્ષણ કેમ નથી કહ્યું ? યાયિક -- આ તે શિંશપાપ્રશ્ન જેવો પ્રશ્ન છે [શિશપાપ્રશ્ન શું છે ? “અશોકવાટિકામાં તે તાલ, તમાલ વગેરે અનેક વૃક્ષ હતા, તે પછી સીતાને શિંશપાવૃક્ષની નીચે કેમ રાખી ?” – આવો પ્રશ્ન કરનારને જે કહેવામાં આવે કે “સીતાને શિશપાવૃક્ષની નીચે નહિ અન્ય વૃક્ષની નીચે રાખી હતી તે તે પૂછશે કે “સીતાને શિંશપાવૃક્ષની નીચે કેમ રાખી ન હતી ?' આમ આ પ્રાઝિકના પ્રશ્ન જેવો આપને પ્રશ્ન છે.] જે અમે બીજી રીતે લક્ષણુ કહીશું તે આપ પૂછશે કે “લક્ષણ આમ કેમ ન કહ્યું ?' 64. अस्ति च प्रयोजनं पर्यायद्वारकलक्षणोपवर्णनस्य यत् साङ्ख्यानां व्यामोहनिरसनम् । एवं हि सांख्याः सङ्गिरन्ते-'बुद्धिरन्या, ज्ञानमन्यत् , उपलब्धिरन्या' इति । तद्भमापनयनायेदमुच्यते-बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम् एक एवार्थ इत्यर्थः । इत्थं च स्वरूपतो निर्माता बुद्धिर्भोगस्वभावत्वात् तत्साधनत्वाच्च संसारहेतुरिति हेयत्वेन भाव्यते । सुखादिबुद्धिर्भोगः, तत्साधनबुद्धिस्तु भोगसाधनमिति । 64 પર્યાયશબ્દો દ્વારા લક્ષણ કહેવાનું એ પ્રયોજન છે કે તેથી સાંઓના વ્યામોહનું નિરસન થઈ જાય, કારણ કે સાંખે કહે છે કે બુદ્ધિ જુદી છે, જ્ઞાન જુદું છે અને ઉપલબ્ધિ જુદી છે. તેમને ભ્રમ દૂર કરવા માટે અમે એમ કહ્યું છે કે બુદ્ધિ, ઉપલબ્ધિ, જ્ઞાન એ અનર્થાન્તર છે અર્થાત તેમને વાચ્ય અર્થ એક જ છે. આ પ્રમાણે સ્વરૂપથી જ્ઞાત થયેલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy