SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર ઇન્દ્રિયોને ભૌતિક માનતાં વિષયસાંક્યદોષ નથી આવતે કહેવું જોઈએ. તેથી અમુક ઇન્દ્રિય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એનું નિયામક છે અમુક ઈન્દ્રિયનું ઉપાદાનકારણ અમુક જ ભૂત છે એ, એટલે ઇન્દ્રિયે ભૌતિક છે. 34. વં તૈનસેન ચંપા વાર્થ ઘાર્થિવસ્ય પસ્થ પ્રહળ ઘfથળ્યા gવ વા, आप्येन च रसनेन पार्थिवस्य रसस्य, वायवीयेन स्पर्शनेन्द्रियेण च पृथिव्यादिस्पर्शस्य, तदिदं प्रकृतिनियमेऽपि कथं विषयसाङ्कर्यमिति ? नैष दोषः, रूपादिविषयविषयोऽपि ह्येषां नियमो न तदाश्रयविषयः । तैजसं हि प्रदीपादिद्रव्यं रूपमेव प्रकाशयद् दृश्यते, न तेजोवृत्येव रूपम् । आप्यमपि द्रव्यं रसमेव व्यनक्ति, न तु सलिलस्थमेवेति । घ्राणे तु न कश्चिद्दोषः, तद्ग्राह्यस्य गन्धस्य पथिव्येकवृत्तित्वादिति । द्रव्यस्यापि दर्शनस्पर्शनग्राह्यत्वमविरुद्धमित्थं भौंतिकत्वेऽपीति । 34. શંકાકાર –- જે એમ હોય તો તેજસ ચક્ષુરિન્દ્રિય પાર્થિવ રૂપનું કે પૃથ્વીના જ રૂપનું ગ્રહણ કેમ કરે છે ? જલીય રસનેન્દ્રિય પાર્થિવ રસનું ગ્રહણ કેમ કરે છે ? વાયવીય સ્પશનેન્દ્રિય પૃથ્વી વગેરેના સ્પર્શનું ગ્રહણ કેમ કરે છે ? આમ અમુક ઇન્દ્રિય અમુક જ ઉપાદાનકારણથી ઉત્પન્ન થઈ હોવા છતાં વિષયસાંયે કેમ ? નૈયાયિક – આ દેષ (વિષયસાંકર્યોરૂપ દોષ) આવતો નથી. અમુક ઉપાદાનકારણથી ઉત્પન્ન થયેલી ઈનિદ્રય અમુક જ વિષયને ગ્રહણ કરે છે એ નિયમ રૂપ આદિ વિષયવિષયક છે અને નહિ કે રૂપ આદિ વિષયના આશ્રયવિષયક, કારણ કે જમ્ પ્રદીપ આદિ દ્રવ્ય રૂપને જ પ્રકાશિત કરતું દેખાય છે અને નહિ કે તેજદ્રવ્યમાં જ રહેલા રૂપને, જલીય દ્રવ્ય રસને જ પ્રકાશિત (અભિવ્યકત) કરે છે અને નહિ કે જળમાં જ રહેલા રસને, ઘાણની બાબતમાં તો કઈ દેષ નથી કારણ કે ઘાણેન્દ્રિયને ગ્રાહ્ય વિષય ગંધ કેવળ પૃથ્વીમાં જ સમવાયસંબંધથી રહે છે. આમ ઈન્દ્રિય ભૌતિક હોવા છતાં પણ દ્રવ્ય ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે એ બાબતમાં કોઈ વિરોધ કે બાધા આવતી નથી. 35. यदुक्तं महदणुग्रहणाच्चाभौतिकानीन्द्रियाणीति, परिहृतं तत् , गोलकाद्यधिष्ठानातिरिक्तस्येन्द्रियस्य दर्शितत्वात् । तच्च विततत्वात् विततग्राहि भवत्येव । विततेनापि च तेजसाणुद्रव्यं प्रकाश्यमानं दृश्यते दीपादिना तण्डुलादीति । अतोऽपि नाहङ्कारिकत्वम् । | 35. ઇન્દુિ મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓને ગ્રહણ કરતી હેવાથી તે ભૌતિક નથી એમ તમે જે કહ્યું તેનું નિરાકરણ અમે કર્યું છે, કારણ કે અમે દર્શાવ્યું છે કે ઇન્દ્રિય ગલક આદિ અધિષ્ઠાનેથી અતિરિક્ત છે અને તેવી ઇન્દ્રિય મહત્પરિમાણવાળી અને અણુપરિમાણવાળી વસ્તુઓનું ગ્રહણ કરે છે. તે વિતત હાઈ વિતતને ગ્રહણ કરે છે. તેજ દ્રવ્ય વિતત હોવા છતાં અણુદ્રવ્યને પણ પ્રકાશિત કરતું દેખાય છે, જેમકે પ આદિ ચેખાના કણ આદિને પ્રકાશિત કરે છે. તેથી પણ ઇન્દ્રિય આહંકારિક નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy