SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સંસ્કાર સહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું કારણ 16. કારણ વિના કાર્યનું ઉત્પન્ન થવું ઘટતું નથી, કારણકે તે તેનું કાર્યપણું ઘટે જ નહિ, એટલે ત્યાં કારણ તે તેવું જ જોઈએ. સંસ્કાર સહિત ઈન્દ્રિય એ આ જ્ઞાનનું (પ્રત્યભિજ્ઞાનું) પ્રત્યક્ષના કારણથી જ કારણ છે. સંસ્કાર અને ઇન્દ્રિય બેનું આ પ્રત્યભિજ્ઞા રૂપ એક કાર્ય છે એ દર્શનથી જ જ્ઞાત થાય છે. તો પછી અહીં બે સનિહિત વસ્તુઓને એક કાર્યને ઉત્પન્ન કરવામાં વ્યાપાર થતો હોઈ તેવું અન્યત્ર પણ શા માટે ઈછતા નથી? અન્યત્ર તેવું ઈચ્છતા નથી કારણકે માટી અને તતુ બન્નેને વ્યાપાર એક કાર્યને ઉત્પન્ન કરવામાં થતે દેખે નથી એટલે ત્યાં તે સ્વીકાર્યું નથી જ્યારે અહીં તે દેખ્યું છે એટલે એને પ્રતિષેધ કર દુષ્કર છે. કેટલીક વાર કેવળ ઇન્દ્રિયવ્યાપારથી પણ કાર્ય (=પ્રત્યક્ષ) ઉત્પન્ન થતું હોઈ બધે તેવું જ કારણુ કાર્યકારી (=પ્રત્યક્ષને ઉત્પન્ન કરનારું) નથી કારણકે સહકારી સંસ્કારની સહાયથી ઇન્દ્રિયવ્યાપાર અન્ય કાર્યને (=અત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષને, ઉત્પન્ન કરે છે. [કેવળ ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન પ્રત્યક્ષ છે. સંસ્કારસહિત ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષ છે કારણ કે તેનું પ્રધાન કારણ તે ઇન્દ્રિય જ છે, તેમ છતાં પિલા પ્રત્યક્ષથી આ પ્રત્યક્ષ જરા વિશિષ્ટ છે, કારણ કે તેમાં ઈન્દ્રિયનું સહકારી સંસ્કાર પણ કારણ તરીકે છે. ] 117. यत्तक्तं कीदृशोऽर्थः प्रत्यभिज्ञायामवभातीति, तत्रौते वादिनः शतकृत्वो दत्तोत्तरा अपि यत्पुनरस्माननुयुञ्जते तेन बलवदुद्विग्नाः स्मः । उक्तमत्र प्रमितयः प्रष्टव्याः, न तु वादिन इति । अतीतकालविशिष्टो वर्तमानकालावच्छिन्नश्चार्थ एतस्यामवभासते । 117. કેવો અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે, એવું જે તમે પૂછયું તેના ઉત્તરમાં તમને વાદીઓને સો વાર અમે જવાબ આપો છતાં ફરી પાછા તમે અમને પૂછો છો તેથી, અમે ખૂબ ઉદ્વિગ્ન છીએ. અમે આ બાબતે જણાવ્યું છે કે તમારે પ્રમિતિઓને (જ્ઞાનને) પુછવું જોઇએ, અમને નહિ. અતીતકાલવિશિષ્ટ અને વર્તમાનકાલાવછિન્ન અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે. 118. નનું પૂર્વાપરી વાર પરસ્પરવિધિનો | नैकत्र विशतस्तेन तद्भेदाद् वस्तु भिद्यते ॥ नैतदेवम् , केयूरकिरीटकटककुण्डलादिभेदेऽपि देवदत्तस्याभेदात् । अवयव्यस्ति नास्तीति परीक्षणं वादान्तरगमनम् । अपवर्गाहिके च विस्तरेणावयवी साधयिष्यत इत्यास्तामेतत् । कुण्डलादीनामविरोधादिति चेन्न, लाक्षणिकविरोधाभ्युपगमात् । परस्परपरिहारव्यवस्थितात्मानो हि सर्वे भावा इति वदभिर्भवद्भिरभ्युपेत एषां વિરોધઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy