SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ નિત્ય પદાર્થ ક્રમથી અર્થ ક્રિયાકારી નથી બૌદ્ધ–અમે ઉત્તર આપીએ છીએ. નિત્ય વસ્તુ કાં તો ક્રમથી કાર્ય કરે કાં તે યગપ૬ કાર્ય કરે, કારણ કે ક્રમ અને યૌગપદ્ય એ બે એકબીજાને પરિહાર કરીને જ રહેતા હોઈ ત્રીજો કોઈ વિકલ્પ ઘટતા નથી. નિત્ય વસ્તુ કમથી કાર્ય ન કરે. નિત્ય વસ્તુ [પોતાનાં કાર્યો કરવા ] કાં તે સમર્થ હોય કાં તો અસમર્થ. જે સમર્થ હોય તે કમથી કાર્ય શા માટે કરે ? કારણ કે સમર્થ કાલક્ષેપ કરે જ નહિ. જે અસમર્થ હોય તે અસમર્થ હોવાથી તે કોઈ પણ કાર્ય ન કરે, એટલે અસમર્થને પણ ક્રમનું કંઈ પ્રયજન નથી. સહકારીની અપેક્ષાને લીધે તે ક્રમથી કાર્ય કરે છે એમ જો તમે કહેતા હે તે તે બરાબર નથી કારણ કે જે અસમર્થ છે તેનામાં સહકારી પણ સામર્થ્યનું આધાન કરે એ ઘટતું નથી. અને સમર્થમાં વતઃ જ સામર્થ્ય હોય છે એટલે સહકારી વ્યર્થ છે. સહકારીનું સન્નિધાન હે ય ત્યારે પણ તેનું (=નિત્ય પદાર્થનું) કતૃત્વ સ્વરૂપથી છે કે પરરૂપથી ? સ્વરૂપ તો પહેલેથી હેવાથી અને સ્વરૂપ જ કારકપણું હોવાથી સહકારીનું શું પ્રયોજન ? પરરૂપથી કોંવ હોય તે પૂર્વ રૂપને પરિત્યાગ અને બીજા રૂપને સ્વીકાર આવી પડવાથી ક્ષણિકત્વ આવી પડે છે. આ જ રીતે સહકારીની બાબતમાં પણ સમર્થ-અસમર્થના બે વિકલ્પ ઊઠાવવા જોઈએ. જે પિતે જ સમર્થ હેય તે બીજાને સહાય કરવાનું દૈન્ય તે શા માટે દાખવે ? જો તે અસમર્થ હોય તો આવીને પણ તે બિચારો શું કરવાને ? વળી સહકારી કિંચિકર છે કે અકિંચિકર ? અકિંચિત્કરપક્ષમાં બધાનાં બધાં કાર્યમાં બધે સહકારીપણું તે પ્રાપ્ત કરે. જે તે કિચિકર હોય તો તમારે જર્ણવવું જોઈએ કે તે શું કરે છે? જો તમે કહે કે ઉપકાર કરે છે, તો અમે પૂછીએ છીએ કે તે ઉપકાર, ઉપકાર પામતી પેલી નિત્ય વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? જે અભિન્ન હોય તે સહકારીએ એવી નિત્ય વસ્તુને જ કરી કહેવાય. જે ભિન્ન હોય તે તેથી શું લાભ? કારણ કે તે નિત્ય વસ્તુ તો પહેલાના જેવી જ રહે છે. વળી ઉપકાર કાર્યથી ભિન્ન છે કે અભિન્ન એ પણ ચિત્તવવું જોઈએ. તે કાર્યથી ભિન્ન નથી, કારણ કે કાયથી ભિન્ન ઉપકાર ઉપલબ્ધ થતું નથી અને વળી બેની ઉત્પત્તિને અભાવ છે. કાર્યથી અભિન્ન એવા ઉપકારને સહકારી કરતા હોય તો સહકારીએ જ તે કાર્ય કર્યું, ગણાય, એટલે મૂળ કારણ (= પેલી નિત્ય વસ્તુ) નિરર્થક બની જાય. 63. ननु चैक एव भावः कारकः, स एव हि समर्थः, तदितरपदार्थसन्निधानं तु स्वहेतुवशादुपनतमिति नोपालम्भमर्हति । नैतद्युक्तम् , एकस्य कदाचिदपि कारकत्वानुपलब्धेस्तत्सामर्थ्यस्य दुरधिगमत्वात् ।। एवं ह्यसौ समर्थ उच्यते, यद्येकः कदाचित् कार्यमुत्पादयन् दृश्येत, न तु विस्मृत्यापि दृश्यते । 63. યાયિક— એક જ ભાવ (ભાવરૂપ નિત્ય વરતુ ) કારક (=કારણું) છે, કારણ કે તે જ સમર્થ છે. તેનાથી ઈતર પદાર્થોનું (= સહકારીઓનું ) સન્નિધાન તો તે ઇતર પથેના પિતાપિતાના કારણને લઈને થયેલું હોય છે, એટલે તે ઇતર પદાર્થોનું સન્નિધાન ઉપાલંભને પાત્ર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy