SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય આત્માની આવશ્યક્તા मयेदं पूर्वेयुर्विहितमिदमन्येधुरपरं विधातव्यं चेति श्रुतिकृषिवणिज्यादिषु जनाः । यदेवं चेष्टन्ते निपुणमनुसन्धाय तदमी ध्रुवं सर्वावस्थानुगतमवगच्छन्ति पुरुषम् ॥ इत्यात्मलक्षणमवादि यदेतदिच्छा द्वेषप्रयत्नसुखदुःखसमाश्रयत्वम् । तत्सङ्गिनं तदिह हेयतया व्यवस्येत् तद्विप्रयुक्तमधिगम्यतया मुमुक्षुः ।। 56. Rયાયિક - આ પ્રશ્ન તમારે અમને કર જોઈએ નહિ કારણ કે કેવળ સામાન્યરૂપે પ્રયત્નાદિમતમાત્ર તે તમારે ત્યાં પણ સિદ્ધ છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણે વડે જે વ્યવહાર થાય છે તે નિત્ય આત્મા વિના ઘટતા નથી, એટલે તે ઉપરથી એની કલ્પના કરવામાં આવે છે. જે જ્ઞાતા ક્ષણે ક્ષણે જુદે હોય તે જે પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાસ્વભાવ છે તે સંભવે જ નહિ. તેથી જેમ ઝ હ્ય વસ્તુની એકતા પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે તેમ ગ્રાહક પુરુષની એક્તા પણ પ્રત્યભિજ્ઞાથી પુરવાર થાય છે. પહેલા વ્યાપ્તિનું ગ્રહણ થાય છે, પછી લિંગ દર્શન થાય છે, તે પછી વ્યાપ્તિનું સ્મરણ થાય છે, પછી સાધ્યની અનુમિતિ થાય છે,' એટલે જ્ઞાતાને ક્ષણે ક્ષણે જુદે માનતાં અનુમાન પ્રમાણ નહિ સંભવે. “ગાય જેવા પ્રાણીને ગાય” નામ અપાય છે એવું અતિદેશવાક્ય વનેચર પાસેથી સાંભળીને પછી જંગલમાં ગાય જેવું પશુ તે દેખે છે, પછી તે પશુની સંજ્ઞાના જ્ઞાનરૂપ ફળને તે પામે છે. જે પ્રમાતા પ્રતિક્ષણ જુદે જ હોય તો આ ઉપમાન પ્રમાણે પ્રતિષ્ઠિત થશે નહિ. વર્ણોનું કમથી શ્રવણુ, સંકેતસમયના સ્મરણથી પદાર્થનું ગ્રહણ, વિષ્ણુના સંસ્કારોથી જન્મતું અત્યવર્ણકલનાકાલે પદાર્થનું આલેચન, આકાંક્ષા વગેરેને આધારે પદાર્થાન્વયકૃત વાક્યર્થનું સંપિંડન -આ બધું એક જ્ઞાતા વિના અત્યંત દુર્ઘટ છે, તેથી નિત્ય આત્માની સિદ્ધિ અવશ્ય થાય છે. “મેં ગઈ કાલે આ કર્યું હતું અને બીજા દિવસે મારે આ કરવાનું છે' એમ શ્રુતિ, કૃષિ, વાણિજ્ય આદિને અનુલક્ષી લોકો કહે છે. આમ નિપુણ રીતે અનુસંધાન કરીને જેઓ વર્તે છે તે આ લેક એકસપણે બધી અવસ્થાઓમાં અનુગત એવા પુરુષને જાણે છે –સ્વીકારે છે. ઇચ્છા, ષ, પ્રયત્ન, સુખ, દુઃખનું સમાશ્રયવ એ આત્માનું લક્ષણ છે એમ અમે કહ્યું છે મુમુક્ષુ તેમનાથી (=ઈચ્છા, ષ, આદિથી) યુક્તને અહીં હેય તરીકે નકકી જાણે અને તેમનાથી મુક્તને અધિગમ્ય (ઉપાદેય) તરીકે નક્કી જાણે. 57. બથો તથા તા: પ્રાદુ: વિં પુસા વાર્પિતેન : | . ज्ञानमात्रोण पूर्वोक्तो व्यवहारोऽवकल्पते ॥ ज्ञानं किमात्मवन्नित्यं सौगतैरुपगम्यते । प्रारदर्शितानुसन्धानस्मरणादिक्रियाक्षमम् ।। ज्ञानं बौद्रगृहे तावत् कुतो नित्यं भविष्यति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy