SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા સ્વત; પ્રકાશે છે એ પ્રભાકરમત ૧૫૩ 17. યાયિક - અરે એ સજન ! આ પ્રકારના ભેદપ્રતિભાસોમાં વિશ્વાસ રાખવે યેગ્ય નથી, કારણકે “મારો આત્મા’ એ પ્રતીતિમાં અહં (મમ) અને આત્મા એ બેના ભેદને પ્રતિભાસ દેખાય છે. [ હકીક્તમાં અહં અને આત્મા બે જુદી વસ્તુ નથી, છતાં તેમના ભેદને પ્રતિભાસ થાય છે. ] અવસ્થાભેદ વગેરે વડે જેમ તેમ કરીને મારો આત્મા એ ભેદપ્રતીતિનું સમર્થન કરવામાં આવે છે. તેથી અહીં (‘મારું શરીર માં અહંપ્રત્યયનું) આલંબન શરીર જ છે એ બાબત સમજાવવામાં પણ તે જ પદ્ધતિને (રીતિને અનુસરીશું. [“મારું આ શરીર’ એ પ્રતીતિમાં “મારું” એ દ્વારા યૌવનાવસ્થાને પરામર્શ કરી “આ” એ દ્વારા વૃદ્ધાસ્થાને નિર્દેશ કરવામાં આવ્યું છે. ] તેથી અહંપ્રત્યય શરીરાલંબન જ છે, અહં. પ્રત્યય જ્ઞાન આદિ સાથે સમાનાધિકરણવાળો છે એ વાત મિથ્યા છે, અહંપ્રત્યય સ્થૂલ આદિ સાથે સમાનાધિકરણવાળો છે એ વાત સાચી છે. મારું શરીર “મારે આત્મા' આ જે બુદ્ધિ છે તે બને મિથ્યા છે, કારણ કે અહંપ્રત્યયની જેમ મમપ્રત્યયનું આલંબન આત્મા નથી. અને શરીરને અલંબન માનતાં ભેદ ઘટતો નથી. મારો હાથ' કે “મારો ભુજ' એ પ્રતીતિ શરીર અને હાથ ભિન્ન હેઈ ઘટે છે પરંતુ મારું શરીર એ કલ્પના કરાઈનું માથું” એના જેવી છે. નિષ્કર્ષ એ કે અહંકાર અને મમકાર બન્નેને વિષય આત્મા ન હોઈ આત્મા પરોક્ષ છે એ સિદ્ધ થયું. 18. अपरे पुनराहुः—न ग्राह्यग्राहकरूपोभयसम्पत्तेरेकस्य कर्मत्वं कर्तृत्व च युगपदात्मनो मन्यामहे । किन्तु चितिशक्तिस्वभावमपरसाधनमपरोक्षमात्मतत्त्वं प्रचक्ष्महे । न ह्यात्माऽन्यजन्येन ज्ञानेन घटादिरिव प्रकाशते, अपि तु स्वत एव प्रकाशते । चेतनत्वमपि तस्य नैसर्गिकमेव, न करणोपजनितचितियोगनिबन्धनम् । चिद्योगाद्धि चेतनत्वे घटादावपि तत्प्रसङ्गः । न चास्ति नियमहेतुः, अनेककारकपरिघटिलतनुरपि चितिरात्मानमेव ज्ञातारौं करोति, न कारकान्तरमिति । तस्मात् स्वत एव चित्स्वभावताऽस्य भद्रिका । तदिदमात्मप्रकाशनं संविद्वदवगन्तव्यम् । यदाहुः 'संवित् संवित्तयैव संवेद्यते, न वेद्यतया' इति । नास्याः कर्मभावो विद्यत इत्यर्थः । एवमात्मा ग्राहकतयैव प्रकाशते, न ग्राह्यतयैवेति । तद्वैरूप्यस्य चोदनमनुपपन्नमिति । 18. વળી બીજા (= પ્રાભા કરો) કહે છે – 2 ઘરૂપ અને ગ્રાહકરૂપ ઉભય સંપત્તિ એકને હોવાથી આત્માનું યુગપત કમ વ અને સ્વંત્ર છે એમ અમે માનતા નથી. પરંતુ ચિતિશક્તિસ્વરૂપવાળા બીજા પર આધાર ન રાખનારા આત્માને અમે અપરોક્ષ કહીએ છીએ. આત્મા અન્યજન્ય જ્ઞાન વડે ઘટ વગેરેની જેમ પ્રકાશિત થતો નથી પણ સ્વતઃ જ પ્રકાશિત થાય છે. તેનું ચેતનત્વ પણ નૈસર્ગિક જ છે, કરણે ( ઈન્દ્રિયો) દ્વારા ઉત્પન્ન થયેલ ચિત (જ્ઞાન) સાથે ચિતિને (આત્માનો) સંબંધ થવાને કારણે નથી. ચિતને ચિતિ સાથે સંબંધ થવાને કારણે ચિતિનું ચેતનત્વ હોય તે ઘટ વગેરે પણ ચેતન બની જવાની આપત્તિ આવે. ચિત સાથે સંબંધ થવાથી ચિતિ જ ચેતન બને, બીજું કઈ નહિ એવા નિયમને (restriction) કેઈ હેતુ નથી, અનેક કારકોથી ઉત્પન્ન થયેલું ચિત (જ્ઞાન) આત્માને જ જ્ઞાતા કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy