SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ એ પક્ષની સ્થાપના अन्यत् किञ्चन तत्प्रतीतिशरणं नास्तीति च व्याकृतं तस्मादप्रतिपत्तिमन्थरमुखो वेद: प्रमाणं कथम् ॥ 235. અમે કહીએ છીએ કે, ના, આ નહિ થાય, કારણ કે તેમનાથી પણ વધારે બુદ્ધિવાળા તેમના દેષ દેખશે, તે બીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે બીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, તે ત્રીજા બુદ્ધિવાળા કરતાં વળી વધારે બુદ્ધિવાળા તે ત્રીજા બુદ્ધિવાળાના દોષને દેખશે, આમ અનવસ્થા દોષને કારણે વ્યાકરણશાસ્ત્ર નિમલ નથી જ. વ્યાકરણશાસ્ત્રના અધ્યયનનું મહાવ્રતગ્રહણ કલેશને માટે જ છે. અને બૃહરપતિએ કહ્યું છે કે, એક એક શબ્દને લઈ તે સાધુ છે કે અસાધુ એ જાણવું અશક્ય હેઈ, લક્ષણ–સામાન્યવિશે વાન લક્ષણ ની સ્થાપના બરાબર થઈ ન હોઈ, ત્યાં પણ સંદેહ, વિપર્યય, અપ્રતિપાદકત્વરૂપ દે દેખાતા હેઈ, અને ભવિષ્યમાં પ્રૌઢતર બુદ્ધિવાળા વૃત્તિકાર પાસેથી અવિલુપ્ત શુદ્ધ વ્યાકરણશાસ્ત્ર શીખીશું એવી આશામાં અનવસ્થાદોષ હોઈ, વ્યાકરણશાસ્ત્ર મરણાંત વ્યાધિ છે એમ ઔશનસે માને છે. અહીં પણ કહેવાયું છે કે, “દુષ્ટ ભૂતપિશાચથી ગૃહીત, કે રાજદંડથી ભીત, કે પિતૃઓથી અભિશત વ્યાકરણ ભણવામાં શ્રમ કરે.' બીજાઓએ પણ કહ્યું છે કે “વૃત્તિ એ તલ છે, સૂત્ર એ અડદ છે અને કટન્દી એ કેદરા છે, એ ત્રણ અજડને (બુદ્ધિમાનને) આપવા કારણ કે અજડને જડ કરવા મ ટેને તે ઉત્તમ ઉપાય છે.” ઉપરાંત, વ્યાકરણ ભણવામાં પ્રયત્ન–ઉઘોગ કરવા છતાં વિદ્વાને જેમ લૌકિક પદોમાં વ્યુત્પત્તિ પામતા નથી તેમ વૈદિક પદોમાં પણ વ્યુત્પત્તિ પામતા નથી. વૈદિક પદેનું જ્ઞાન પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી એમ કહેવાયું છે. તેથી, વેદોનું જ્ઞાન શક્ય જ ન હોવાથી (અર્થાત્ વેદો અપ્રતિપાદક હોવાથી) વેદ નિષ્ક્રિયવદન છે, મૂક છે, તો પછી વેદ પ્રમાણુ કેમ ? 236. अत्राभिधीयते । यत्तावदिदमवादि गवादिशब्दवत् अनादिप्रबन्धसिद्धमेव गाव्यादेरपि वाचकत्वमिति तत्रामु पक्ष संशयदशामेब तावदारोपयामः । पूर्वपाक्षिकोक्तयुक्तिसमुत्थापितस्थिरतरविपर्ययज्ञानसमनन्तरं सहसैव सम्यग्ज्ञानोत्पादनातिभारात् भारैकदेशावतरणन्यायेन संशयस्तावदुपपद्यते । ततः तर्कात् परिशोधितेऽध्वनि सुगमे सुखं विहरिष्यति सम्यङनिर्णयोपाया न्याय इति तदुच्यते । 236. યાયિક—આને ઉત્તર અમે આપીએ છીએ. ગો” આદિ શબ્દોની જેમ ગાવિ' આદિ શબ્દનું પણ વાચક– અનાદિ પરંપરાથી સિદ્ધ જ છે એમ જે કહ્યું તેને –તે પક્ષને– સંશયદશામાં જ અમે મૂકીએ છીએ. આ પૂર્વપક્ષીએ યુકિતઓ આપી બરાબર સ્થાપેલ વધુ સ્થિર વિપર્યયજ્ઞાન પછી તરત જ એકાએક જ સમ્યજ્ઞાનને અતિભાર લાદવા કરતાં સંશયને ડોક ભાર લાદ વધુ સારો એ ન્યાયે પહેલાં એ પક્ષ બાબત સંશય પેદા કરે ઘટે છે. પછી તક વડે પરિધિત સુગમ ભાગમાં સાચા નિર્ણયને ઉપાયભૂત ન્યાય સુખે વિહરશે એટલે અમે પ્રથમ સંશયને જણાવીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy