SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર પ્રાતિપદિકસંજ્ઞાન વિષય અનિશ્ચિત इत्यधिकृत्य स्वादिप्रत्ययानां विधानमनुपपन्नमित्यलं प्रसङ्गेन । सर्वथा दुर्व्यवस्थितं शब्दानुशासनम् । 231. “અર્થવઢવાતુ પ્રત્યયઃ પ્રતિવરિH' (= ધાતુ અને પ્રત્યયને છોડીને જે શબદરૂપ અથવાળું હોય તે પ્રતિદિક છે, એવું પ્રતિપાદિકસંજ્ઞાનું લક્ષણ અતિવ્યાપક છે, કારણ કે વાક્યને પણ પ્રાતિપદિકસંજ્ઞા પ્રાપ્ત થવાની આપત્તિ આવે છે. [આની સામે તમે વૈયાકરણે કહેશે કે ઉપર જણાવેલા સૂત્ર પછી તરત જ આવતા] “નહિતમાર' ( = અને કૃત અર્થાત કૃદંત, તદ્ધિત અર્થાત્ તદ્ધિતાત અને સમાસ ૫ણ પ્રાતિપદિક છે) એ સૂત્રમાં “સમાસ' પદનું વિધિવિશેષ તરીકે વર્ણવવામાં આવતું ગ્રહણ સમાસેતરને પ્રતિષેધ કરે છે, એટલે તે પદનું ગ્રહણ કરવાથી વાક્યની વ્યાવૃત્તિ સિદ્ધ થાય છે. આની સામે અમારું કહેવું છે કે જો એમ હોય તે “માતુરત્યય (= ધાતુ અને પ્રત્યયને છોડીને) એમ પણ ન કહેવું જોઈએ, કારણ કે ધાતુ અને પ્રત્યયની વ્યાવૃત્તિ પણ તે સમાસ પદના પ્રહણથી સિદ્ધ થાય છે. આની સામે તમે વૈયાકરણે કહેશે કે એકાથંતાને લીધે સમાનશીલ વાક્યના જ પ્રતિષેધને માટે સમાસ પદ શક્તિમાન છે, ધાતુ અને પ્રત્યયના પ્રતિષેધને માટે “સમાસ' પદ શક્તિમાન નથી. આની સામે અમારું કહેવું છે કે આ પણ દુરાશામાત્ર છે, કારણ કે વાતિકકારે [‘સમર્થના પ્રથમા વા' એ સૂત્રગત] વા' વચનનું આનર્થક્ય જણાવી પૃથફ અર્થોનું વિશેષ સ્થાપન કર્યું છે. [વાક્ય અને સમાસના વિષયે જુદા હોઈ તેમની વચ્ચે બોધબાધભાવ નથી, એટલે વિકપનું “વા' દ્વારા પ્રતિપાદન કરવાને કોઈ અર્થ નથી, જેમને વિષય એક હેય તેમની બાબતમાં વિકલ્પ શક્ય બને, અહીં તે એકાયંતા = એકવિયત્વ છે જ નહિ, એટલે વિકલ્પ નહિ બને] નિષ્કર્ષ એ કે આ પ્રમાણે પ્રાતિ પદિસંજ્ઞાના વિષયને નિશ્ચય ન હોઈ તે પ્રતિપાદિક જેમની પ્રકૃતિ છે તે સ્વાતિ પ્રત્યેનું રૂાજુ પ્રતિક્રિાત ” એ સૂત્રને અનુસરીને વિધાન ઘટી શકે નહિ. વધુ દોષે જણાવવાની જરૂર નથી. શબ્દાનુશાસન -વ્યાકરણ સર્વથા દુર્વ્યવસ્થિત છે. 232. યરવ વ્યાયાતનામુiાનુiદુનિરીક્ષણપ્રયન:, વાવમાંत्रावर्णाधिक्यमिषपुरःसरलक्षणपरिचोदनप्रकारः, यच्चेदं व्याख्यातृवचनम् 'इह न भवत्यनभिधानात्' इति, यच्च व्याप्तिसिद्धौ सरलमुपायमपश्यतामाकृतिगुणवर्णनं, यच्च पदे पदे बहुलवचनं तत् सुतरामपरिशुद्धिमनुशासनस्य दर्शयतीति । 232. (૧) પાણિનિનાં સૂત્રોને વ્યાખ્યાકારોએ ઉક્ત, અનુક્ત અને દુષ્કતનું નિરીક્ષણ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે, (૨) વાચકમાત્રા અધિક છે કે વર્ષો વધારે છે એવું બહાનું આગળ ધરી લક્ષણને પ્રતિષેધ કરવાને જે પ્રકાર તે, (૩) “અહીં આ નિયમ લાગુ પડતું નથી કારણ કે તેનું સ્પષ્ટ અભિધાન નથી” એવું વ્યાખ્યાકારોનું જે વચન તે, (૪) વ્યાપ્તિની સિદ્ધિ માટે સરળ ઉપાય ન જણાતાં આકૃતિ-ગુણનું વર્ણન કરવું તે, (૫) અને પદે પદે ‘બહુલ' શબ્દ પ્રયોગ કરવો તે–આ બધું શબ્દાનુશાસનની અપરિશુદ્ધિ (= દે ) દર્શાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy