SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ પણ નથી એનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃિત્તિ છે.] તેથી અપશબ્દોના પ્રયોગને પ્રતિષેધ એ નિયમનું ફળ છે એમ કહેવું એ તે વદતવ્યાધાત છે. જો તમે કહેશે કે તે પછી એ પ્રતિષેધ [નિયમનું નહિ પણ ] પરિસંખ્યાનું ફળ છે તે અમે જણાવીશું કે ના, તે અપાબ્દોને પ્રતિષેધ પરિસંખ્યા પણ નથી કારણ કે શબ્દ અને અપશબ્દ બન્નેની યુગપત પ્રાપ્તિ નથી. પણ અને પ્રતિપક્ષ બંનેમાં અર્થ યુગપત પ્રાપ્ત હોય ત્યારે [ જે વિધિ હોય તેને ] પરિસંખ્યા વિધિ કહે છે. [જેને વિષય અપ્રાપ્ત—અન્ય પ્રમાણથી અજ્ઞાત–અર્થ છે તે વિધિ છે, એવું વિધિનું સામાન્ય લક્ષણ છે. અપૂર્વવિધિ, નિયમવિધિ અને પરિસંખ્યાવિધિ એમ ત્રણ ભેદ વિધિના છે. બિલકુલ અપ્રાપ્ત અર્થને પ્રાપક વિધિ અપૂર્વ વિધિ કહેવાય છે. ઉદાહરણાર્થ, દશ પૂર્ણમાસ પ્રકરણમાં આવતે “ગ્રીહીન ક્ષતિ” એ વિધિ. આ વિધિના અભાવમાં દર્શપૂર્ણ માસના વ્રીહિનું પ્રક્ષણ કોઈ પણ રીતે કોઈ પણ પ્રમાણથી પ્રાપ્ત થઈ શકતું નથી, જ્યારે એ વિધિ હતાં અવશ્ય પ્રાપ્ત થાય છે. પક્ષમાં પ્રાપ્ત અર્થને સર્વત્ર (બધા પક્ષમાં) નિયમ કરનાર વિધિને નિયમવિધિ કહેવામાં આવે છે. આને ભાવાર્થ એ કે, વિકલ્પથી પ્રાપ્ત અર્થો પૈકી બીજાને નિવૃત્ત કરી અમુક એક અર્થને જ બધે પ્રાપ્ત કરાવનાર જે વિધિ તે નિયમવિધિ. આને બીજી રીતે સમજાવીએ. અનેક સાધનો પૈકી કોઈ પણ એક સાધનથી સાધ્ય થઈ શકે એવી ક્રિયામાં, જ્યાં અમુક સાધન પ્રાપ્ત હોય ત્યાં અન્ય અમુક સાધન અપ્રાપ્ત હોય એ સ્વાભાવિક જ છે, તો ત્યાં પણ તે અપ્રાપ્ત સાધનને જ પ્રાપ્ત કરાવનાર જે વિધિ તેને નિયમવિધિ સમજ. આને ઉદાહરણ દ્વારા સમજીએ. દશ પણ માસમાં “ત્રીઠ્ઠીનવરિત' (ડાંગરને છડવી) એ વિધિ નિયમવિધિ છે. ઉત્પત્તિવાક્યથી અવગત જે પુરેડાશ છે તે પુરડાશને બનાવવા માટે જરૂરી સંકુલ ( = ચોખા ) તૈયાર કરવામાં ડાંગર ઉપરથી ફોતરાં કાઢવાં (= વૈદુષ્ય) જરૂરી છે. ફોતરાં કાઢયાં વિના ચેખા તૈયાર થાય નહિ, એટલે અર્થપત્તિપ્રમાણથી કોઈ પણ રીતે ફતરાં કાઢવાનું પ્રાપ્ત થાય છે. હવે આ ફેતરાં નખથી ફેલીને પણ કઢાય અને છડીને પણ કઢાય. જે “ત્રહીનવન્તિ’ એ વિધિ ન હોય તો અવહનનથી ડાંગરનાં તિરાં કાઢવાનું થતું હેય ત્યાં તે અવહનન પ્રાપ્ત છે અને બીજે અર્થાત જ્યાં નખવિલન આદિથી ડાંગરનાં ફોતરાં કાઢવાનું થતું હોય ત્યાં અવહનન અપ્રાપ્ત છે. પરંતુ આ વિધિ હતાં જ્યાં તે અપ્રાપ્ત છે ત્યાં પણ તે પ્રાપ્ત થાય છે, અર્થાત્ સર્વત્ર પ્રાપ્ત થાય છે. જ્યાં અવહનન સિવાય બીજાં સાધનેથી ડાંગરનાં ફોતરાં કાઢવામાં આવતાં હોય અર્થાત જ્યાં અવહનન અપ્રાપ્ય હોય ત્યાં પણ અવહનનથી ફેતરાં કાઢવાનું વિધાન કરનાર વિધિ નિયમવિધિ છે. આમ નિયમવિધિનું ફળ પ્રતિષેધ નથી પણ વિધિ છે. પક્ષ અને પ્રતિપક્ષ બંનેમાં સમાન પણે પ્રાપ્ત અને બેમાંથી એક્યી નિવૃત્ત કરે તે વિધિ પરિસંખ્યા વિધિ છે. આનું ઉદાહરણ છે “ia Gરના: મર્યાઃ” (= પાંચ ન ધરાવતા પાંચ પ્રાણીઓ ભર્યા છે. આ પાંચ પ્રાણીઓ છે-શાક, શહલકી, ગોધા, ખડગી અને કૂર્મ). જો આ વિધિ ન હોય તે પંચ પંચનખ અને પંચતર પંચનખ બને ભક્ષ્ય બને. પરંતુ આ વિધિ હેતાં પંચતર પંચનખની નિવૃત્તિ થાય છે. પંચ પંચનખનું ભક્ષણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy