SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લેક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ લૌકિક શબ્દોની રચનાથી જુદી છે, વૈદિક પદ લૌકિક પરથી જુદા નથી. વેદવિદેને આ વ્યવહાર સગથી માંડી શરૂ થયો છે. લાંબી પરંપરાથી ચાલતા આવેલા તે વ્યવહારમાંથી અત્યારની ઉંમરમાં અમે વ્યુત્પત્તિ પામીએ છીએ; વ્યુત્પત્તિ પામતા અમે તે અર્થનું પ્રતિપાદન કરીએ છીએ. વળી, વેદના અર્થનું જ્ઞાન કરવાના ઉપાયભૂત વ્યાકરણ, મીમાંસા વગેરે શાસ્ત્ર ક્યાં ગયા કે તે જીવતાં હોવા છતાં વેદના અર્થને નિર્ણય ન થાય ? ઉપરાંત, આ મૂખ! રાગાદિવાળે માણસ પોતે પોતાની મેળે અર્થને જાણતા નથી, પરંતુ વેદને શું અર્થ છે એ જાણે છે. રાગાદિવાળા માણસનું પ્રત્યક્ષજ્ઞાન અતીન્દ્રિય અર્થમાં ભલે પ્રવૃત્ત ન થાઓ, પરંતુ રાગાદિવાળો માણસ “સ્વર્ગની કામનાવાળે અગ્નિહોત્ર હેમ કરે એ વેદવાક્ય દ્વારા પણ અગ્નિહોત્ર નામનું કમ સ્વર્ગનું સાધન છે એ ન જાણે એવું નથી. અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ ક્યાંથી હોય એમ જે તમે પૂછો તે અહીં અમે કહ્યું છે કે વેદની જેમ વેદવિદોને વ્યવહાર, જે દાર્થનું જ્ઞાન કરવા માટે ઉપાય છે તે સુચિરપ્રરૂઢ હોવાથી અતીન્દ્રિય અર્થમાં નિયત વ્યુત્પત્તિ થાય છે. વેદ, અર્થ, તેનું જ્ઞાન, તે જ્ઞાનને ઉપાય અને વેદાર્થનું અનુષ્ઠાન હમણું વર્તમાનમાં જ શરૂ થયાં નથી, પરંતુ કેટલાકને મતે તે તે અનાદિ છે જ્યારે અમારે તે જગસગથી માંડી શરૂ થયેલાં છે. તેમની બાબતમાં અત્યારે પ્રશ્ન ઊઠાવવાને અવસર છે ? “કૂતરાનું માંસ ખાય” ઇત્યાદિ અપભાષણ દ્વારા અવીચિ નામના નરકક્ષેત્ર સાથે પિતાને સંબંધ કરવા માટે વેદની નિંદા જ એ પાપી મંદબુદ્ધિવાળાએ કરી છે, કેઈ નવું દૂષણ તેણે કપી કાઢયું નથી. 184. अथापर आह-किमेष तपस्वी पराणुद्यते ? किमनेनापराद्धम् ? किमनेन विरुद्धमभिहितम् ? न हि लोकतो वेदार्थे व्युत्पत्तिरवकल्पते । कोऽयं लोको नाम ? किं यः कश्चित् प्राकृत उत वैयाकरणः संस्कृतमतिरिति ? तत्र शाकटिकाः साधुशब्दप्रयोगानभिज्ञमनसो निसर्गत एवाक्षतकण्ठा वराकाः संस्कारबादैर्गाव्यादिभिरेव शब्दैर्व्यवहरन्ति । तैश्च व्यवहरन्तः कथमिव वैदिकेषु शब्देषु व्युत्पत्तिमवाप्नुयुः ? यद्यपि च 'अस्ति' 'एषि' 'एमि' इति कश्मीरेषु, गच्छेति दाभिसारेषु ,करोमीति मद्रेषु कतिपये साधुशब्दा: पामरैरपि प्रयुज्यन्ते, तथाऽप्यतीव प्रविरलसञ्चारोऽसौ व्यवहार इत्यनुपादेय एव वैदिकशब्दव्युत्पत्तः । • 184. / બીને પક્ષ લઈને] કઈ કહે છે-શા માટે આ બિચારાને હાંકી કાઢે છે ? તેણે શે અપરાધ કર્યો છે ? તેણે શું વિરુદ્ધ કહ્યું છે? કારણ કે લેક દ્વારા વેદના અર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી. જયંત– આ લોક શું છે? શું જે પ્રાકૃત જન છે તે લોક છે કે જે સંસ્કાર પામેલી બુદ્ધિવાળો વૈયાકરણ છે તે લેક છે ? [બૌદ્ધને પક્ષ લેનાર પેલે કહે છે ]-ત્યાં ગાડું હાંકનારાઓ સાધુ શબ્દના પ્રયોગથી અજ્ઞાત છે, [વ્યાકરણના પઠનથી] ક્ષત ન થયેલા કંઠવાળા છે, એટલે તે બિચારા સંસ્કાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy