________________
વાક્યાથ ભાવના છે એ મત
૨૫૩ વસ્તુને માટે પ્રવૃત્તિ કરે એ ઘટતું નથી, સ્વર્ગની ઈચ્છા કરતી વ્યક્તિ સાંગ્રહણીયાગ કરતી નથી. તેથી રાગ કરતાં શ્રેય સાધનતાને પ્રવર્તક માનવી એ વધુ સારું છે. લેકમાં પણ આ જ વ્યવહાર દેખાય છે. વૈદ્યાચાર્યના ઉપદેશથી હરડે વગેરેની આયોગ્યસાધનતા જાણીને તેમને ઉપયોગ કરવામાં રેગી માણસ (અર્થાત્ આરોગ્યને ઇચ્છતે માણસ) પ્રવૃત્ત થાય છે. એટલે શ્રેયસાધનતા જ પ્રવર્તક છે. આ મત પણ બરાબર નથી. જ્ઞાત શ્રેય સાધનતા પ્રવર્તક છે કે અજ્ઞાત શ્રેય સાધનતા ? અજ્ઞાત શ્રેયસાધનતા પ્રવર્તક બનતી નથી, કારણ કે શ્રેય સાધનતાને ન જાણતી વ્યક્તિ પ્રવૃત્તિ કરતી દેખાતી નથી. હરડે આરોગ્યનું સાધન છે એ કોઈકની પાસેથી જે જાણી લેતું નથી તે આરોગ્યને ઇચ્છતા હોવા છતાં હરડેને ઉપયોગ કરતો નથી. તેથી શ્રેયસાધનતાના જ્ઞાનને જે ઉપાય છે તે પ્રવર્તક છે. [કામનાના] દષ્ટ વિષયની બાબતમાં, તેની સાધનતાના જ્ઞાનને ઉપાય અન્વય-વ્યતિરેક વગેરે પણ સંભવે છે; પરંતુ [ કામનાના ] અદષ્ટ વિષયની બાબતમાં, તેની સાધનતાનું જ્ઞાન એકલા શબ્દ દ્વારા જ થાય છે, એટલે શ્રેયસાધનતાના જ્ઞાનને ઉપાય શબ્દ જ પ્રવર્તક છે. તેથી જ શબ્દ પણ પિતાના સ્વરૂપમાત્રથી પ્રવર્તક નથી. જે તે પિતાના સ્વરૂપમાત્રથી પ્રવર્તક હોય તે વાયુ વગેરે પ્રવર્તક તુલ્ય તે બની જવાની આપત્તિ આવે. જે પવનની જેમ, પિશાચની જેમ, કુપની જેમ શબ્દ સ્વરૂપમાત્રથી પ્રવર્તક હોય તે શબ્દાર્થસંબંધ ન જાણનારો પણ શબ્દ સાંભળતાં પરવશ બની પ્રવૃત્તિ કરવા માંડે, પરંતુ એવું થતું નથી. તેથી અર્થની પ્રતીતિ જન્માવીને જ શબ્દ પ્રવર્તક બને છે.
220. न च नाम वर्तमानोपदेशकाख्यातात् पदार्थप्रतीतो सत्यां सप्रत्ययो प्रवर्तमानः कश्चिद् दृश्यते इति लिङादिरेव शब्दः प्रवर्तनाभिधानद्वारेण प्रवर्तका भवितुमर्हति । शब्दस्य च ज्ञापकत्वात् चक्षुरादिकारकवैलक्षण्ये सत्यपि प्रतीतिजन्मनि करणत्वमपरिहार्यम् । करणं च कारकं, कारकं च न निर्व्यापार स्वकार्यनिवृत्तिक्षममिति व्यापारस्तस्यावश्यम्भावी । लिङादेः शब्दस्य न प्रतीतिजन्ममात्रो व्यापारः, किन्तु पुरुषप्रवृत्तावपि, तथावगमात् । लिङा अर्थावगमे सति प्रवृत्तिदृ श्यते इति तत्रापि लिब्यापारः प्रभवति । स चायं लिङादिव्यापारः शब्दभावनानामधेयो विधिरित्युच्यते । स एव च प्रवर्तकः । - 220. વર્તમાનને ઉપદેશ કરનાર આખ્યાતમાંથી પદ અને તેના અર્થની પ્રતીતિ થતાં જ્ઞાનવાળે કોઈ પણ પુરુષ પ્રવૃત્તિ કરતો દેખાતો નથી, એટલે લિ આદિ શબ્દ જ પ્રવર્તના (પ્રેરણા)નું અભિધાન કરીને તે દ્વારા પ્રવર્તક બનવા લાયક છે. શબ્દ જ્ઞાપક હોવાથી, તે ચક્ષુ વગેરે કારકેથી વિલક્ષણ છે છતાં પણ અર્થની પ્રતીતિની ઉત્પત્તિમાં શબ્દનું કારણ અપરિહાર્ય છે. કરણ પિતે કારક છે અને કારક વ્યાપાર કર્યા વિના પોતાનું કાર્ય પાર પાડવા સમર્થ નથી એટલે તે કરણનો (શબ્દ) વ્યાપાર અવશ્ય થવાનો જ. અને લિડ આદિ શબ્દને વ્યાપાર અર્થની પ્રતીતિ ઉત્પન્ન કરવામાં જ નથી પરંતુ પુરુષની પ્રવૃત્તિમાં પણ છે, કારણ કે તેવું જણાય છે. લિડ દ્વારા અર્થનું જ્ઞાન થતાં પ્રવૃત્તિ દેખાય છે એટલે ત્યાં પ્રવૃત્તિમાં પણ લિને વ્યાપાર જણાય છે. આ લિ આદિ શબ્દને વ્યાપાર, જેનું નામ શબ્દભાવના છે, તેને વિધિ કહેવામાં આવે છે. તે જ પ્રવર્તક છે.