________________
૧૭૮
નિર્વિકલ્પ પ્રત્યક્ષ સામાન્યને રહે છે
હોય ત્યાં ભિન્ન ભિન્ન કના વ્યાવૃત્ત રૂપનું ગ્રહણ ઇન્દ્રિય વડે થતું નથી, ત્યાં તે અનુવા રૂપનુ જ ગ્રહણ ઈન્દ્રિય વડે થાય છે. તેથી નિર્વિકલ્પક પ્રત્યક્ષ વખતે જ વ્યાવૃત્ત રૂપની જેમ અનુગત રૂપને જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે, એટલે સામાન્યને પ્રતિષેધ કરવો યોગ્ય નથી. પ્રથમ નજર પડતી વખતે પણ તુલ્યત્વનું (સામાન્યનું) અને નાનાત્વનું (વિશેષનું) જ્ઞાન થાય છે, એટલે સામાન્ય અને વિશેષ બંને વાસ્તવિક છે.
82.
सामान्यमिदमित्येवं कुतस्तत्रानुपग्रहः ? । व्यावृत्तमिदमित्येवं किं वा बुद्धिः खलक्षणे ? ।। समानवृत्तिसापेक्षं न च सामान्यवेदनम् । तत्र सन्निहितत्वात्त व्यक्तिवन्नानुपग्रहः ॥ समानवृत्त्यपेक्षत्वात् सामान्यस्यानुपग्रहे । विशेषोऽपि हि मा ग्राहि व्यावृत्तिं स ह्यपेक्षते ।। अनुवृत्तिर्हि येष्वस्य का तेषां ग्रहणे गतिः ? । व्यावृत्तिरपि येभ्योऽस्य का तेषां ग्रहणे गतिः १ ॥
82. બૌદ્ધ (જો નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સામાન્ય ગૃહીત થયું હોય તો “આ સામાન્ય છે એવું સવિકલ્પ પ્રત્યક્ષ કેમ નથી થતું ?
નૈયાયિક – તિમારા મતમાં નિર્વિકલ્પ પ્રત્યક્ષથી સ્વલક્ષણ ગૃહીત થયું હોવા છતાં સ્વલક્ષણ વિશે આ વ્યાવૃત્ત છે' એવું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે સામાન્યનું જ્ઞાન ગી’ ગૌ એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું નથી એવી અનુવૃત્તિની અપેક્ષા વિના], વ્યક્તિની જેમ ઈન્દ્રિયસન્નિકૃષ્ટ હેવાથી નિવિકલ્પ પ્રત્યક્ષમાં સામાન્ય ગૃહીત થાય છે જ.
બૌદ્ધ ગગૌ” એવી અનુવૃત્તિની અપેક્ષા રાખનારું સામાન્યનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તે એવી અનુવૃત્તિ હેતી નથી એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે સામાન્યનું ગ્રહણ થતું નથી.
નૈયાયિક- જે એમ હોય તે “અશ્વ નથી” “હાથી નથી” એવી વ્યાવૃત્તિની અપેક્ષા રાખનારું વિશેષનું જ્ઞાન છે અને નિવિકલ્પ પ્રત્યક્ષ વખતે તે એવી વ્યવૃત્તિ હોતી નથી, એટલે નિર્વિકલ્પ પ્રત્યક્ષ વડે વિશેષનું પણ ગ્રહણ ન થાઓ.
બૌદ્ધ- જે વ્યક્તિઓમાં સામાન્યની અવૃત્તિ છે તે બધી વ્યકિતઓનું ગ્રહણ કેવી રીતે થશે?
તૈયાયિક- જેમનાથી વિશેષની (=સ્વલાણની) વ્યાવૃત્તિ છે તે બધાનું ગ્રહણ કેવી રીતે થશે ?