SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં વિસંવાદદોષને આક્ષેપ વળી, કાલાન્તરે ઉત્પન્ન થતા ફળનું બીજું પ્રત્યક્ષ કારણ ઉપલબ્ધ થાય છે, સેવા વગેરે. તે દષ્ટ કારણ હોય તે કયે સૂક્ષ્મદષ્ટિવાળ અદષ્ટ ચિત્રાદિને કારણ તરીકે કલ્પે ? તેથી, ચિત્રાદિને ઉપદેશ અસત્ય છે, કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણથી જાણી શકાય એવી વસ્તુને ઉપદેશ હોવા છતાં તે ઉપદેશને, પ્રવિલંભક પુરુષના વાક્યની જેમ તે પ્રમાણે સાથે સંવાદ નથી. ચિત્રાદિ વિશેના વેદવાક્યોનું બેટાપણું આ પ્રમાણે દેખાતું હોઈ, અગ્નિહોત્ર વગેરે વિશેના વેદ વાક્યોમાં પણ અશ્રદ્ધા જન્મે છે. અગ્નિહોત્રવિષયક વેદવિધિવાક્ય ખોટું છે કારણ કે તે વેદને જ એક ભાગ છે, ચિત્રાદિવિષ્યક વેદના વિધિવાક્યની જેમ. તેથી, અહીં સંવાદ ન હોવાના કારણે અપ્રામાણ્ય છે. એવી જ રીતે પુત્રની કામનાવાળો પુત્રેષ્ટિ કરે' વગેરેમાં પણ આ પ્રમાણે અસંવાદ સમજવો જોઈએ, 177. વિસન્નાદ્રોડા ઘવિદ્ દરયતે | પ્રમીતે યજ્ઞમાને પાત્રવાર્થ વામपदिश्यैवमादिदेश वेदः स एष यज्ञायुधी यजमानोऽजसा स्वर्ग लोकं याति' इति । तत्र 'एषः' इति तावदात्मनो निर्देशः क्लिष्ट एव परोक्षत्वात् , स्फ्यकपालादियज्ञायुधसम्बन्धाभावाच्च । कायस्तु 'एषः'पदेन निर्दिश्यते । स न स्वर्ग लोकं यातीति तद्विपरीतभस्मीभावोपलम्भादिति विसंवादः । एवं चासंवादविसंवादाभ्यामप्रमाणं वेदः ।। 177. કયાંક વિસંવાદ (ઊલટું) પણ દેખાય છે. જ્યારે યજમાન મરી ગયો ત્યારે પાત્રચયન (ત્રયજમાને વિવાહથી માંડી પ્રજવલિત રાખેલ અગ્નિવાળો ઘડે સ્મશાને લઈ જવા માટે લેવો તે) કમને ઉપદેશ આપી દે આ પ્રમાણે આદેશ આપ્યો, “આ તે યજમાન (જેણે અગ્નિહોત્રને અગ્નિ પ્રજવલિત રાખે છે તે) યજ્ઞનાં સાધનો સહિત સીધે સ્વર્ગમાં જાય છે. અહીં ‘આ’ (ઉs:) દ્વારા આત્માને નિશ કિલષ્ટ છે કારણ કે આત્મા તે પરોક્ષ છે એટલે શ્ય, કપાલ, વગેરે યજ્ઞનાં સાધને સાથે તેનો સંબંધ છે જ નહિ. તેનાથી (=“આ” થી) શરીરનો નિર્દેશ થાય છે એમ જે કહેવામાં આવે તો [અમારે જણાવવું જોઈએ કે શરીર તો સ્વગલેકમાં જતું નથી, ઊલટું ભસ્મરૂપ અવસ્થાને પામે છે. તેથી અિહીં] વિસંવાદ છે. આમ અસંવાદ અને વિસંવાદને કારણે વેદ અપ્રમાણ છે. [અસંવાદમાં કહ્યા પ્રમાણે ફળ મળતું નથી જ્યારે વિસંવાદમાં કર્યું હોય તેનાથી ઊલટું ફળ મળે છે.] 178. વ્યાઘાતજ | ‘ઢિતે હોતધ્યમ ‘શનુદ્રિતે હોતવ્યમ્' “માધુષિતે होतव्यम्' इति होमकालत्रयमपि विधाय निन्दाऽर्थवादैः तदेव निषेधति, 'श्यामो वा अस्याहुतिमभ्यवहरति य उदिते जुहोति । शबलो वा अस्याहुतिमभ्यवहरति योऽनुदिते जुहोति । श्यामशबलावस्याहुतिमभ्यवहरतः, यः समयाध्युषिते जुहोति ।' न चार्थवादमात्रमेतदिति वक्तव्यम् । यतः विधानं कल्प्यते स्तुत्या निन्दया च निषेधनम् । विधिस्तुत्योः समा वृत्तिस्तथा निन्दानिषेधयोः ॥
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy