SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર ज्ञाने तथाविधत्वं तु बोधरूपाविशेषतः । कार्याद्वा कारणाद्वाऽपि ज्ञातव्यं न स्वरूपतः ।। इति । कारणानां परोक्षत्वान्न तद्वारा तदा गतिः । कार्य तु नाप्रवृत्तस्य भवतीत्युपवर्णितम् ॥ तस्माद्वैयर्थ्य चोद्यस्य नायं परिदृतिक्रमः । एवं चार्थक्रियाज्ञानात्कोहक प्रामाण्य निश्चयः ॥ 44. મીમાંસકે આને ઉત્તર અમે આપીએ છીએ. આ દષ્ટાન્ત વિષમ છે અર્થાત બંધ બેસતું નથી, તે જાતિરૂપે બીજને જાણવું જે શક્ય છે તે તેને તે જાતિરૂપે નિશ્ચય થતાં બાકીનાં બધાં બીજને વાવવારૂપ પ્રવૃત્તિ નિઃશંકપણે થાય એ યોગ્ય જ છે. જ્ઞાનની બાબતમાં તે બધાં જ્ઞાન જ્ઞાનરૂપ સમાનપણે હેવાને કારણે જ્ઞાનનું પ્રામાણ્ય તે જ્ઞાનના કાર્ય કે કારણ દ્વારા જાણવું જોઈએ, સ્વરૂપતઃ નહિ. જ્ઞાનનાં કારણે પરોક્ષ હાઈ કારણે દ્વારા જ્ઞાનના પ્રામાણ્યનું જ્ઞાન થાય નહિ અને જ્ઞાનનું કાર્ય તો પ્રવૃત્તિ વિના બને નહિ, એ અમે જણાવી ગયા છીએ. તેથી, પ્રવૃત્તિ પછી જ્ઞાનના પ્રામાણ્યને નિર્ણય સર્વથા વ્યર્થ છે એ આપત્તિ દૂર કરવાની આ રીત નથી. અને અર્થ ક્રિયાના જ્ઞાન દ્વારા પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય વળી કેવો ? 45. સમર્થકારજ્ઞાનાવોf પ્રામાધ્યનિશ્ચયમ્ | ब्रूते सोऽपि कृतोद्वाहस्तत्र लग्नं परीक्षते ।। किलातिविकसितकुसुममकरन्दपानमुदितमधुकरकुले कस्मिंश्चिदुद्याने वाद्यमानायां वीणायां निरन्तरलतासन्तानान्तरितवपुषि विदूरादनवलोक्यमाने वादके वीणाध्वनिसंविदि रोलम्बनादसंदेहदूषितायां तदभिमुखमेव प्रतिष्टमानः श्रोता परिवादके दर्शनपथमवतीर्णे स्वरानुकूलकारणनिश्चयात् तत्प्रतीतौ संशयनिवृत्तेः प्रामाण्यं निश्चिनोतीत्येष समर्थकारणज्ञानकृतः प्रामाण्यनिश्चयः । 45. જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાનના જનક સમર્થ કારણના જ્ઞાન દ્વારા નિશ્ચિતપણે જાણી શકાય છે એમ જે કહે છે તે પણ વિવાહ કર્યા પછી પ્રહલગ્નની પરીક્ષા કરવા જેવું કરે છે. [ આ મતવાદીએ પિતાને મત આ પ્રમાણે દષ્ટાન્તથી સમજાવે છે. ] પૂર્ણ ખીલેલાં કુલેને રસ ચૂસવાને પરિણામે આનંદિત થયેલા ભમરાઓ કેઈક બાગમાં ગુંજન કરે છે, તે જ વખતે તે બાગમાં ગાઢ લતાઓમાં છુપાયેલો વાદક વીણા વગાડી રહ્યો છે. તે દૂરથી દેખી શકાતો નથી. તે વખતે દૂરથી કઈ શ્રેતાને વીણાધ્વનિના જ્ઞાનની બાબતમાં સંદેહ જાગે છે કે શું આ ભમરાઓનું ગુંજન તે નહિ હોય ! આ સંદેહથી પ્રેરારેલે એ પેલા ધ્વનિની દિશામાં ચાલવા માંડે છે. [ નજીક પહોંચતાં ] એ વાદકને દેખે છે. વીણના વનિના અનુકૂળ વા સમર્થ કારણને (=વાદક) નિશ્ચય થતાં વીણવનિની બાબતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy