SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ઉદ્યોતક આપેલ હેતુ વિશે એક જ અર્થમાં બે જાતિઓ સમવાય સંબંધથી રહેતી હોવાથી એક જતિ બીજી જાતિથી યુક્ત (રજાતિમત) ગણાય” એમ કહી અહીં [ઉદ્યોતકરના આ અનુમાનમાં] જાતિ પણ જાતિમત હોવાને કારણે જે અનૈકાતિકદેષ [કુમારિભ] આપ્યો છે તે ઘટતે નથી. [કુમારિક ભટ્ટ કહેવા માગે છે કે ઉપર્યુકત રીતે જાતિ પણ જાતિમત છે. વળી તે ઈન્દ્રિયગ્રાહ્ય પણ છે અને તેમ છતાં તે અનિત્ય નહિ પણ નિત્ય છે. એટલે ઉદ્યોતકરનું અનુમાન અનકનિક દષથી દૂષિત છે. પરંતુ તેમણે આપેલે આ દેષ ઘટતું નથી,] કારણ કે સામાન્ય સામાન્યરહિત છે એ હકીકત સુપ્રસિદ્ધ છે. ઘટમાં ઘટવ અને પાર્થિવત્વ એ બે સામાન્ય છે માટે ઘટવ સામાન્યમાં પણ પાર્થિવત્વ સામાન્ય છે એમ કહેવું શક્ય નથી. એટલે [ઉદ્યોતકરે આપેલ] આ હેતુ નિર્દોષ છે. તેથી “જાતિમા, ઈન્દ્રિયગ્રાહ્યત્વ વગેરે જે વસ્તુની કેવળ સત્તાને પુરવાર કરવા માટેના હેતુઓ છે તેમને શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે કેણ કહે ? જે તાર્કિક ન હોય તે” [એમ કુમારિલે] જે કહ્યું તે તે તાર્કિકના વ્યવહારને ન જાણનારાનું વચન છે. 304. ફુદ વાવોના હેતવો મવતિ | ह्यस्तनोच्चारितस्तस्माद् गोशब्दोऽयापि वर्तते । गोशब्दज्ञानगम्यत्वाद्यथोक्तोऽद्यैष गौरिति ॥ विज्ञानग्राह्यता नाम वस्तुस्वाभाव्यवन्धना । नित्यत्वे कृतकत्वे वा न खल्वेषा प्रयोजिका ॥ अप्रयोजकता चैवंप्रायाणां चैवमुच्यते । स्वयं चैते प्रयुज्यन्ते हेतुत्वेनेत किं न्विदम् ।। _304. અહીં ( શબ્દનું નિત્યત્વ પુરવાર કરવામાં) [કુમારિલે આપેલ] હેતુઓ અપ્રાજક છે. (તે હેતુએ છે)–ગઈ કાલે ઉચારેલ “ગાય”શબ્દ આજે પણ અસ્તિત્વ ધરાવે છે કારણ કે જેમ ગઈ કાલે આ ગાય “ગાય”શબ્દજ્ઞાનગણ્ય હતી તેમ આજે પણ તે ગાય”શબ્દg.નગમ્ય છે. વસ્તુની આ જ્ઞાનગમ્યતા વસ્તુના અસ્તિત્વ સાથે અવિનાભાવ સંબંધ વરાવતી હે ઈ ખરેખર વસ્તુને નિત્યત્વ કે અનિત્યવને પુરવાર કરવા સમર્થ નથી. જે [કુમ રિલ] કહે છે કે આ જાતના હેતુઓ [શબ્દની અનિત્યતા પુરવાર કરવા] અસમર્થ છે તે છે તે જ એવા અસમર્થ હેતુઓને [શબ્દની નિત્યતા પુરવાર કરવા] પ્રયોજે છે એ શું વિચિત્ર નથી ? 305. gવં નિચાવે દુર્વો યુનાઃ તમામનવ્ય વાર્ય પર્વત રાઃ | वाचोयुक्तित्वे वैदिको योऽनुवादः न्याये प्रत्युक्ते किंफलस्तत्प्रयोगः ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy