SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કમની પણ આવશ્યકતા છે કારણ દાણ સર્ગ કરનાર ઈશ્વર નિર્દય જ ગણાય.] (૨) વેદની કર્મ કરવાની આજ્ઞાઓનું આનર્થ કર્યો. [ઈશ્વરની ઈચ્છાથી જ કર્મ કર્યા વિના–શુભાશુભફલોગ સંભવતે હેય તે વેદની કર્માનુષ્ઠાન માટેની આજ્ઞાઓનો કઈ અર્થ રહે નહિ,] (૩) મેક્ષ જેવું કંઈ રહે નહિ. [મુક્તોને પણ ઈશ્વરેચ્છાથી પુનઃ સંસારમાં પ્રવેશવું પડે, એટલે મોક્ષ અસંભવ બની જાય.] તેથી, કર્મોને પોતાનાં ફળ સાથે જોડવામાં જ ઈશ્વરનું સ્વાતંત્ર્ય છે, કર્મનિરપેક્ષ ફળ આપવા ૨૫] એ સ્વાતંત્ર્ય નથી. શંકા-એવા એશ્વર્યાનું પ્રયોજન શું ? નિયાયિક–[આ પ્રશ્ન ઉચિત નથી] કારણ કે પ્રયજનોને અનુસરી વર્તવું પ્રિયજનને અનુસરી વસ્તુના અસ્તિત્વની સ્થાપના કરવી] પ્રમાણને ઘટતું નથી. [વસ્તુનું અસ્તિત્વ હેય તે પછી તેનું પ્રયોજન હોય કે ન હોય પ્રમાણ તે તેના અસ્તિત્વને સ્થાપે છે જ, પ્રમાણુ પ્રજનને અધીન રહી વર્તતું નથી.] અથવા, કર્મોની અપેક્ષા રાખનાર ઈશ્વરનું પ્રભુત્વ નથી શું ? (છે જ.) એટલે તુછ કુતર્કથી ખરડાયેલા મુખવાળા નાસ્તિકેના બડબડાટને પ્રતિષેધ કરવાની કઈ જરૂર નથી. નિષ્કર્ષ એ કે કુતાર્કિકેએ જણાવેલા દૂષણભાસોને દર કરવાથી ત્રણેય લેકના નિર્માણમાં નિપુણ પરમેશ્વર સિદ્ધ થયે, નિર્દોષ સબળ પ્રમાણથી સિદ્ધ સ્વરૂપવાળા ઈશ્વરને જે મૂઢો સ્વીકારતા નથી તેમની સાથે ચર્ચા કરવી એય ખરેખર પાપ છે, એટલે તેમાંથી વિરમવું ઉચિત છે, જેની ઈરછાથી જ ભુવને સમ્યકપણે ઉત્પન્ન થાય છે, સ્થિતિ પામે છે અને યુગાને વળી પાછા લય પામે છે તે, સમસ્ત ફલોગના હેતુભૂત, નિત્ય પ્રબુદ્ધ તેમ જ નિત્ય આનંદિત શિવને નમસ્કાર 204. નર ટૅટોચનિર્માનિgછે પરમેરેરે सिद्धेऽपि तत्प्रणीतत्वं न वेदस्यावकल्पते ॥ पदे शब्दार्थसम्बन्धे वेदस्य रचनासु वा । कर्तृत्वमस्याशङ्क्येत तच्च सर्वत्र दुर्वचम् । वर्णराशिः क्रमव्यक्तः पदमित्यभिधीयते ॥ वर्णानां चाविनाशित्वात्कथमीश्वरकायंता । सम्बन्धोऽपि न तत्कायः स हि शक्तिस्वभावकः ।। शब्दे वाचकशक्तिश्च नित्यैवाग्नाविवोष्णता । रचना अपि वैदिक्यो नैताः पुरुषनिर्मिताः ॥ कविप्रणीतकाव्यादिरचनाभ्यो विलक्षणाः । एवं च वेदे स्वातन्त्र्यमीश्वरस्य न कुत्रचित् ॥ कामं तु पर्वतानेष विदधातु भिनत्तु वा । स्वतःप्रामाण्यसिद्धौ तु वेदे वक्त्रनपेक्षताम् ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy