SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવહેતુ અસિદ્ધ નથી ૯૭ इति वदता । तस्माद्विनाशित्वेनापि कार्यत्वानुमानात तन्मतेऽपि न कार्यत्वमसिद्धम् । 162. શંકાકાર–પૃથવી વગેરેનું કાર્યત્વ અસિદ્ધ છે એમ કહેવામાં આવ્યું છે. નયાયિક—કોણ એમ કહે છે?-ચાર્વાક, બૌદ્ધ દે મીસાંસક? જે ચાર્વાક બીજી રચનાઓથી વિલક્ષણ વેદની રચનાનું ય કાર્યત્વ સ્વીકારે છે તે પૃથ્વી વગેરેની રચનાનું કાર્યત્વ કેમ કરીને નકારે ? મીમાંસકે પણ પૃથ્વી વગેરેના કાર્યવનો નિષેધ કરવો યોગ્ય નથી કારણ કે તે પોતે જ તે આમ કહે છે કે “જે અજ્ઞાત ઉત્પત્તિવાળી ચીજે છે તેમાંય [એવું] રૂપ જણાય છે [જેના ઉપરથી તેમના વિનાશનું અનુમાન થઈ શકે. ઉદાહરણાર્થ, જેને ઉપ થતો આપણે દેખ્યો નથી તે પટ] તંતુઓના જોડાવાથી આ પટ ઉત્પન્ન થયે છે [એમ જણાય છે, એટલે તંતુઓ છૂટા પડવાથી કે તંતુઓ નાશ પામવાથી તે નાશ પામશે એમ આપણે કપીએ છીએ. એ જ રીતે અવયેના સંયોગથી બનેલી રચનાવાળા પર્વત વગેરેના નાશનું જ્ઞાન પણ સંભવે છે. કયારેક વિનાશની પ્રતીતિ થતી દેખાય પણ છે, જેમકે વર્ષાઋતુના વાદળામાંથી વરસતી ધારાઓથી તૂટી પડેલા પર્વતના એક ભાગની બાબતમાં આપણે કહીએ છીએ કે પર્વતને ટુકડે [તૂટી] પો.' વળી, તેથી જ્યાં બંને ધર્મો (= સાધ્ય ધર્મ અને સાધક ધર્મ) વ્યાપ્ય તેમ જ વ્યાપક તરીકે સ્વીકૃત હોય ત્યાં પણ જ્ઞાનનું અંગ ( કારણુ) વ્યાપ્યતા જ બને, નહિ કે વ્યાપિતા અર્થાત વ્યાખ્યત્વરૂપે જ ધર્મ ગમક બને, વ્યાપકત્વરૂપે નહિ' એમ કહીને કવાતિકકારે પણ વસ્તુના (=ભાવના, અભાવ છે નહિ) ધર્મો કાર્યત્વ અને વિનાશિત્વની સમવ્યાસિકતા જણાવી છે જ. તેથી, વિનાશિવ ઉપરથી કાર્ય ત્વનું અનુમાન થતું હોઈ, તેમના મતે પણ પૃથ્વી વગેરેનું કાર્યત્વ અસિદ્ધ નથી. 163. રોડ જાવક્ષ્ય ક્રથમસતામમિરધીત વેન નિત્ય નામ પદાર્થ प्रणयकेलिष्वपि न विषह्यते । तस्मात् सर्ववादिभिरप्रणोद्यं पृथिव्यादेः कार्यत्वम् । अथवा सन्निवेशविशिष्टत्वमेव हेतुमभिदध्महे यस्मिन् प्रत्यक्षत उपलभ्यमाने सर्वापलापलम्पटा अपि न केचन विप्रतिप-मुत्सहन्ते । तस्मान्नासिद्धो हेतुः । 163. જે બૌદ્ધ પ્રયલિમાં પણ નિત્ય પદાર્થને સહન કરી શકતા નથી તે પૃથ્વી આદિના કાર્યને કેમ અસિદ્ધ કહી શકે. નિષ્કર્ષ એ કે બધા જ દાર્શનિકે પૃથ્વી વગેરેનું કાર્યવ નિશંકપણે સ્વીકારે છે. અથ સન્નિવેશની (=રચનાની) વિશેષતાને જ અમે હેતુ તરીકે આપીએ છીએ. તે હેતુ પ્રત્યક્ષ દ્વારા જ્ઞાત થતે હેઈ, અપાલાપ કરવામાં રાચનારાઓમાંને કઈ પણ તે હેતુ વિશે આપત્તિ આપવા માટે ઉત્સાહ બતાવતું નથી. તેથી, તે હેતુ અસિદ્ધ નથી. 164. नन् कविनाभावितया यथाविधस्य सन्निवेशस्य शरावादिषु दर्शनं ताहशमेव सन्निवेशमुपलभ्य क्वचिदनुपलभ्यमानकर्तृके कलशादौ कत्रनुमानमिति युक्तम् । ન્યા,મ. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005497
Book TitleNyayamanjari Ahanika 03
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy