SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ બીજા પણ ઘણા પ્રકારના ચારણો છે. ૧. કેટલાએક આકાશગામિન, પલોંઠીવાળી બેઠેલા, કાર્યોત્સર્ગ રહેલા, પગને ચલાવ્યા વિના આકાશમાં ગમન કરે છે, તે આકાશગામી, આકાશચારણા કહેવાય છે. ૨. કેટલા એક સરોવર, નદી, સમુદ્રાદિકના જળના ઉપર ભૂમિના પેઠે પગલા સ્થાપન કરવામાં કુશળ, અને અપકાયની વિરાધના નહિ કરતા પાણી ઉપર ચાલે છે, તે જળચારણ કહેવાય છે. ૩. કેટલાયેક ભૂમિના ઉપર, ચાર આંગુલ જંઘાને ધારણ કરવામાં કુશળ હોય છે, તે જંઘાચારણા કહેવાય છે. ૪. કેટલાક નાના પ્રકારના વૃક્ષોના, ગુલ્મ, લતા, પુષ્પોને લેતા છતાં, અને પુષ્પોના જીવોને નહિ વિરાધતા, પુષ્પ, પાંદડાને આલંબન કરી ગમન કરનારા હોય છે, તે પુષ્પચારણા કહેવાય છે. ૫. કેટલાક ૪00 યોજન ઊંચા નિષધ, નીલ પર્વતની ટંક છિન્ન શ્રેણિને અંગીકાર કરી, ઉપર નીચે ચડવા ઉતરવામાં, પગલા મુકવામાં નિપુણ હોય છે, તે શ્રેણિચારણા કહેવાય છે. ૬. કેટલાયેક અગ્નિશિખાને ગ્રહણ કરી, અગ્નિકાયના જીવોની વિરાધના નહિ કરતા, અને પોતે પણ નહિ બળતા, પગ વિહારને વિષે નિપુણ હોય, તે અગ્નિશિખાચારણા કહેવાય છે. ૭. કેટલાયેક ઊંચી તથા તિર્થી જતી ધૂમશ્રેણિને આલંબન કરી, અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે ધૂમચારણા કહેવાય છે. ૮. કેટલાયેક નાના નાના વૃક્ષોના અંતરના મધ્યભાગના પ્રદેશને વિષે બંધાયેલ, મર્કટતંતુઓને વિશેષે આલંબન કરી, પગલાને ઉપાડતામૂકતા, મર્કટતંતુને નહિ છતાં અખ્ખલિત રીતે ગમન કરનારા હોય છે તે મર્કટતંતુચારણા કહેવાય છે. ૯. કેટલાએક ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક, અન્યતમ જ્યોતિષીના રશ્મિના સંબંધવડે કરી પૃથ્વી ઉપરના જ પેઠે ચાલવામાં ૫૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy