SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-2 ૩. જંઘાચારણ, રૂચકદ્દીપ સુધી જવાથી શક્તિવાળો હોય છે. ૪. વિદ્યાચારણ નંદીશ્વર દ્વીપ સુધી જવાથી શક્તિવાળા હોય છે. ૫. અંધાચારણ પોતાના ઇચ્છા મુજબ, જ્યાં જવું હોય ત્યાંસૂર્યના કિરણને આશ્રીને તત્કાળ જાય છે. ૬. વિદ્યાચારણ પણ એવી જ રીતે જાય છે. ૭. જંઘાચારણ રૂચક દ્વીપ પ્રત્યે ગમન કરતા, એક જ ઉત્પાતે ત્યાં જાય છે, પાછા ફરતાં એક ઉત્પાતે નંદીશ્વર દ્વીપે આવે છે અને બીજ ઉત્પાતે પોતાને મૂળ સ્થાને આવે છે. ૮. જંઘાચારણા ચારિત્ર અતિશયના પ્રભાવથી થાય છે, તેથી લબ્ધિના ઉપજીવનથી, ઉત્સુક ભાવનાથી, અગર પ્રમાદના સંભવથી, ચારિત્રઅતિશય નિબંધનથી, લબ્ધિની હાનિ થવાથી પાછા ફરતા, બે ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. ૯. જો મેરુપર્વત ઉપર જવાની ઇચ્છા હોય તો, પ્રથમ ઉત્પાતે પાંડુ વને જાય છે, પાછા ફરતા એક ઉત્પાતે નંદન વને જાય છે, બીજે ઉત્પાતે પોતાને મૂળસ્થાને આવે છે, ૧૦. વિદ્યાચારણા, પ્રથમ ઉત્પાતે માનુષ્યોત્તર પર્વતે જાય છે, બીજે ઉત્પાતે નંદીશ્વર દ્વીપે જાય છે, ત્યાં ચૈત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફરતા એક ઉત્પાતે પોતાને સ્થાને આવે છે, ૧૧. જો મેરુપર્વત ઉપર ગમન કરે તો એક ઉત્પાતે નંદનવને જાય છે, બીજે ઉત્પાતે મેરુ પર્વતે જાય છે, ત્યાં ચૈત્યોને વાંદે છે, ત્યાંથી પાછા ફરતા એક ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. ૧૨. વિદ્યાચારણા, વિદ્યાના વશવર્તીપણાથી થાય છે, વિદ્યાના પરિશીલનથી ફુટ-ફુટતર થાય છે, તેથી પાછા ફરતા, શક્તિ અતિશયના સંભાળથી એક જ ઉત્પાતે પોતાને સ્થાને આવે છે. એ પ્રકારે જંઘાચારણ, વિદ્યાચરણનું સ્વરૂપ કહ્યું. M૫૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy