SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ઉત્પન્ન થયેલો અને અનેક ઉપચારોથી પણ પ્રશાન્ત નહિ થયેલો મરકીનો રોગ પ્રભુ ગર્ભમાં આવ્યા પછી પ્રભુની માતાને સ્નાન કરાવી તે પાણી નગરમાં છાંટવાથી તુરત મરકીનો રોગ શાન્ત થયો તેથી શાન્તિ :૧૬ કૌ-પૃથ્વીને વિષે રહ્યા તેથીકુંથુ, અગર ભગવાન જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં વિચિત્ર રત્નનો સૂપ દેખ્યો તેથી કુંથુ: ૧૭. મહાભાગ્યવાન તીર્થકર મહારાજાના જીવો સર્વે મહા સત્વવંત કુલોને વિષે ઉત્પન્ન થાય છે તેથી તેની અભિવૃદ્ધિ થાય છે માટે વૃદ્ધોએ ભગવાનનું નામ અરપાડ્યું તેથી આર, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્રને વિષે સર્વ રત્નમય અર દેખ્યો તેથી અરઃ ૧૮ પરિષહાદિક મલ્લોને જીત્યા તેથી મલ્લિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ ઋતુઓના પુષ્પોની શય્યામાં શયન કરવાનો દોહલો ઉત્પન્ન થવાથી અને તે દેવતાએ પૂર્ણ કરવાથી મલ્લિ ૧૯ જગતનાજીવોની નિકાલ અવસ્થાને જાણે તેથી મુનિ અને જેના સારા વ્રતો છે તેથી સુવ્રત એટલે મુનિસુવ્રત અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતા સારા વ્રતવાળા થયા તેથી મુનિસુવ્રત. ૨૦ પરિષહાદિક વર્ગને નમાવી દેવાથી નમિ, અગર ભગવાન ગર્ભમાં આવ્યા પછી શત્રુ રાજાઓએ નગરને ઘેરો લાવવાથી ભગવાનની પુજ્ય શક્તિએ પ્રેરેલા ભગવાનની માતાને કિલ્લાના ઉપર બેસાર્યા તેથી તેને દેખીને શત્રુઓ ભગવાનની માતાને નમસ્કાર કરી ઘેરો ઉઠાવી પોતાને સ્થાને ચાલ્યા ગયા તેથી નમિ. ૨૧ અરિષ્ટ દુરિતની નેમિ-ચક્રધારા ઇવ ઇતિ નેમિ, અઘર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં મહાન રિઝ રત્નમય નેમિ ચક્રધારાને દેખેલ તેથી નેમિ. ૨૨ સર્વભાવોને જાણે તેથી પાર્શ્વ, અગર પ્રભુ ગર્ભમાં આવ્યા પછી શધ્યાને વિષે રહેલા માતાએ પાસે જતો સર્પ ગાઢ અંધકારમાં દેખ્યો ૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy