SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ દીપકપૂજા કરવાથી પાપરૂપી અંધકારનો નાશ થાય છે, અક્ષતવડે પૂજા કરવાથી કલ્યાણભગળ કરનાર થાય છે, વાસક્ષેપવડે પૂજવાથી સુગંધી દેહવાળો થાય છે, ફળવડે પૂજવાથી શ્રેષ્ઠ રૂપવાળો થાય છે. એ પ્રકારે શાસ્ત્રકાર મહારાજાએ પૂજાના જુદા જુદા ફળો કહેલા છે વળી સત્તર ભેદી પૂજા, તથા એકવીશ પ્રકારી પૂજા પણ કહેલી છે. શાસ્ત્રકાર કહે છે કે કોટી સાગરોપમનું આયુષ્ય કદાપિ હોય, સમગ્ર વસ્તુપદાર્થના વિષયોનું યથાર્થજ્ઞાન હોય, કોટી જીતવા હોય, તો પણ પર્વ દિવસોમાં પૂજાના ફલને વર્ણવવામાં હું સમર્થ નથી. જો શીઘ્રતાથી મુક્તિ મેળવવી હોય, તો તે મહાનુભાવો ! પરમાત્માનું પૂજન કરવામાં આદરવાળા થાઓ. દ્રવ્ય પૂજા, અને ભાવ પૂજા. જેમ ચિંતામણિ રત્ન મલ્યા પછી વિધિ સહિતતેનું પૂજન કરવાથી સફલ થાય છે, તેમ પરમાત્માનું વિધિ સહિત પૂજન કરવાથી મુક્તિ આપનાર થાય છે. પૂજા બે પ્રકારની છે, ૧. દ્રવ્ય પૂજા અને ૨. ભાવ પૂજા. ૧. દ્રવ્યપૂજા વિરતા વિરત, શીયલ સત્કાર, દાનાદિકનું આચરણ વિગેરે શ્રાવકને કહેલ છે, કષ્ટ,ચારિત્ર અનુષ્ઠાન, ઘોર, ઉગ્ર વિહાર,તપાદિકના આચરણરૂપ, ભાવપૂજા, સાધુને કહેલ છે, દ્રવ્યપૂજા જિન પૂજન કરવારૂપ છે, ભાવપૂજા સ્તુતિ સ્તવનાદિક કરવારૂપ છે, દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા વિશેષે કરી પ્રશસ્ત કહેલ છે. જેમ કોઈ માણસ હજારો, લાખો. સ્વૈભવડે કરી સુશોભિત સુવર્ણના તલવાળું, અને સુવર્ણના પગથિયાવાળું સુવર્ણમય જિનેશ્વર મહારાજનું મંદિર કરાવી મહાન્ પુન્ય બાંધે છે, તેમના કરતા પણ તપ સંયમ ક્રિયા અનુષ્ઠાન અધિક કહેલ હોવાથી દ્રવ્ય પૂજા કરતા ભાવપૂજા વિશેષ ફળ આપે છે, નરેંદ્રોએ, દેવોએ, દેવેન્દ્રોએ પૂજેલા જિનચૈત્યોની, (રાગાદિકને 30 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy