SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૬. અજ્ઞાનિ ઘોડાને માટે ગર્દભ અંગીકાર કરે છે, ૭. અજ્ઞાનિ જીવિતવ્યને માટે વિષનું ભક્ષણ કરે છે, ૮. અજ્ઞાનિ સમુદ્ર પાર પામવા માટે પત્થરની શિલા ઉપર બેસે ૯. અજ્ઞાનિ સાકરને માટે લવણનો આશ્રય કરે છે, ૧૦. અજ્ઞાનિ પુન્યના માટે પાપના કર્તવ્યોને કરે છે, ૧૧. અજ્ઞાનિ સિંહાસનને માટે શૂલીને અંગીકાર કરે છે, ૧૨. અજ્ઞાનિ દૂધવાળી ગાયને માટે થોરને ગ્રહણ કરે છે, ૧૩. અજ્ઞાનિ હિતના ખાતર અહિત વસ્તુનો આશ્રય કરે છે, ૧૪. અજ્ઞાનિ સુખના માટે દુઃખના કામો કરે છે, ૧૫. એવા દુનિયામાં કોઈ પણ કાર્યો નહિ હોય કે જેને અજ્ઞાની માણસ આચરતો નહિ હોય. दारिद्राकुल चेत सांसुतसुताभार्यादिचिंताजुषां, नित्यं दुर्भरदेह पोषण कृते रात्रिं दिवा खिद्यतां, राजाज्ञा प्रतिपालनोद्यत धियां विश्राम मुक्तात्मनां, सर्वोपद्रव शंकिनामघमृतां धिग्देहिनां जीवितं ॥१॥ ભાવાર્થ : દરિદ્રતાથી આ કુલ ચિત્તવાળા પુત્ર, પુત્રી, શ્રી આદિની ચિંતા કરનારા, નિરંતર દુર્ભર ઉદરનું પોષણ કરવા માટે રાત્રિદિવસ ખેદ ધારણ કરનારા, રાજાની આજ્ઞાનું પ્રતિપાલન કરવા માટે સતત પ્રયાસ કરનારી બુદ્ધિવાળા કોઈપણ પ્રકારે વિશ્રાંતિ રહિત આત્માવાળા સર્વ પ્રકારના ઉપદ્રવોથી શંકાશીલ મનવાળા અને પાપથી ભરેલા એવા મનુષ્યોના જીવિતવ્યને ધિક્કાર છે. (ઉપદેશ એક્સો ચોપનમો) દૈવ-વિધિ ૧. વિધિ સમુદ્રને, સ્થળ બનાવે છે, ૨. વિધિ સ્થલને, જળ બનાવે છે, ૩૭૫) ૩૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy