SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીવોએ તેનું આલંબન લેવું. (ઉપદેશ એક્સો એક્તાલીસમો) પૌષધશાળા પેથડદનો પિતા, કનક જલધર બીરૂદ ધારક દેદાશા કોઈ કાર્યપ્રસંગે દેવગીરીમાં ગયા. ત્યાં ગુરુને નમવા ઉપાશ્રયે ગયા ગુરૂને વંદન કરી એક જગ્યાએ બેઠા ત્યાં પૌષધશાળા બનાવાનો વિચાર કરવા સંઘ એકત્ર થયેલ છે તેને પણ વંદન કર્યું. તે વિચાર સાંભળી મને આજ્ઞા આપો, હું પૌષધશાળા કરાવીશ. આવી રીતે સંઘ પાસે ખોળો પાથર્યો. મુખ્યશેઠીયાયે કહ્યું, તમો ન બોલો તે જ યુક્ત છે, કારણ કે પૌષધશાળા સકલ સંઘની કરાવેલી જોઈએ, એકની નહી, કારણ કે તેમ કરવાથી તેનું ઘર શય્યાતર થાય, સાધુથી કાંઇપણલેવાય નહીં. ઘણાની શાળા કરાવવાથી નિરંતર એક એકઘર શય્યાતરથાય. એમ બોધ કર્યો છતાં પણ કદાગ્રહ ન છોડ્યો ત્યારે કોઈએ ક્રોધ કરીને કહ્યું કે ભાઈ? કોઈ ન કરાવનાર હોય તો કદાગ્રહ કરવો સારો, ઇંટોનીશાળા કરાનાર તો ઘણા છે, તું સોનાની ઇંટીની કરાવી શકીશ નહી. સંઘપતીએ પગે લાગીની કહ્યું કે સોનાની ઇંટોની કરાવીશ. સંઘે અનુમતિ આપી એટલું દ્રવ્ય ક્યાં છે ? રાજાનું અનુકૂલપણું કયાં ? શ્રેયાંસી બહુ વિજ્ઞાનિ, ઇત્યાદિ, યુક્તિથી ગુરૂએ પ્રતિબોધ પામેલ બોલ્યો ભગવાન્ ! ઇંટની કરાવીને સોનાને પતરે મઢીશ. ગુરૂએ કહ્યું કે આગ્રહ છોડી દે. કલિકાલે તે પણ બહુ દુઃખદાયક છે, આવી રીતે વારણ કરેલ દેદાશાએ ચુના મધ્યે ૧ સો મણ કેસર નાખી ને પીળા વર્ણવાળી કરી. બાવન હજાર ટેકનો ખર્ચ થયો. કુંકુમશાલા એ પ્રકારે પ્રસિદ્ધિ પામી, સિદ્ધરાજના પ્રધાન સાંતુએ પોતાને રહેવાને માટે પ્રાસાદ બંધાવેલ, તેમાં મોટા મોટા હીરાઓ જડેલા હોવાથી રાત્રિએ પણ તેનો બહુ જ પ્રકાશ પડતો હતો, તે પ્રાસાદ વાદી દેવસૂરિજીને દેખાડવાથી, માણિક્ય નામના તેમના શિષ્યકહ્યું કે આવી તો પૌષધશાળા જોઈએ. તેવું સાંભળીને સાંતુ ૩૪૭) ૩૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy