SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ • ના. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧૫. અસંબદ્ધ, ૧૬. પરાર્થ કામોપભોગી ૧૭. વેશ્યા પેઠે ઘરવાસે રહેનાર. એ ઉપરોક્ત સત્તર પ્રકારે સમાસથી ભાવ શ્રાવકોનાં ભાવ ગત લક્ષણ કહ્યાં, ૧-સ્ત્રી, સ્ત્રીને અનર્થની ખાણ, ચંચળ, નરકની વાટ સમાન જાણતો થકો હિતેચ્છક પુરુષ તેને આધીન ન થાય. ર- ઇંદ્રિય, ઇંદ્રિયોરૂપ ચપળ ઘોડાઓ હમેશા દુર્ગતિના માર્ગ તરફ દોડનારા છે, તેમને સંસારનું સ્વરૂપ સમજનારો પુરુષ સમ્યગૂજ્ઞાનરૂપ દોરડીથી રોકી રાખે. ૩- અર્થ, ધન સમગ્ર અનર્થનું મૂળ નિમિત્ત, અને આયાસ તથા કલેશનું કારણ હોવાથી અસાર છે, એમ જાણી બુદ્ધિમાન પુરુષ તેમાં લવલેશ માત્ર લોભાતો નથી. ૪- સંસાર, સંસારને દુઃખરૂપ, દુઃખફળ, દુઃખાનુબંધી તથા વિટંબનારૂપ અને અસાર જાણી તેમાં રતિ ન કરે. પ- વિષય, ક્ષણમાત્ર સુખદાયી વિષયોને હંમેશાં વિષ સમાન ગણીને ભવભીરુ તથા તત્વાર્થને સમજનાર પુરુષ વિષયોમાં વૃદ્ધિ કરે નહિ. ૬-આરંભ, તીવ્ર આરંભ વર્ષે. નિર્વાહ નહિ થતાં કદાચ કાંઈ કરવું પડે તો અનિચ્છાએ કરે, તથા નિરારંભી લોકોને વખાણે અને સર્વે જીવોમાં દયાળુપણું ધારણ કરે. ૭- ઘર, ઘરવાસને પાશ (ફાંસાની માફક) માનતો થકો દુઃખિત થઈ તેમાં વસે, અને ચારિત્રમોહનીય કર્મ જીતવા ઉદ્યમ કરે. ૮- દર્શન, આસ્તિયભાવ સહિત રહે, પ્રભાવના અને પ્રશંસા વિગેરે કરતો રહે, અને ગુરભક્તિ યુક્ત થઈ નિર્મલ દર્શન ધારણ કરે ૯-ગાડરીયો પ્રવાહ, ગાડરીયા પ્રવાહથી ગતાનગતિક (વગરવિચાર્યે) લોકસંજ્ઞાનો પરિહાર કરી, ધીર પુરુષ બરોબર વિચારીને દરેક ક્રિયા કરે. ૩૩૬) 339 * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy