SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ ૧૮. કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય, તો સાત દિવસ સુધી અસ્વાધ્યાય, અને જો પુત્રી થઈ હોય તો અથવા રક્ત અધિક જતું હોય તો આઠ દિવસ સુધી અસ્વાધ્યાય જાણવો, નવમે દિવસે સ્વાધ્યાય થઈ શકે. ૧૯. સો હાથ સુધીમાં કોઈ બાળક વિગેરેનો દાંત પડ્યો હોયતો તે શોધવો, અને જો દાંત જોવામાં ન આવે તોદંત ઉડાવણિય કરેમિકાઉZગે, એમ કહી એક નવકારનો કાઉસગ્ન કરવો ત્યાર પછી સ્વાધ્યાય કલ્પ. ૨૦. દાંત વિના બીજા કોઈ અંગ અથવા ઉપાંગનું હાડકું સો હાથ સુધીમાં પડ્યું હોય, તો બાર વર્ષ સુધી વાચાનાદિક સ્વાધ્યાય કલ્પે નહિ, (ઇતિ બહુ શ્રુતમ્ય) પણ મનમાં અર્થની વિચારણાનો કોઈ સ્થાને નિષેધ નથી. ૨૧. આદ્રાનક્ષત્રથી આરંભીનેસ્વાતિ નક્ષત્ર સુધી વિદ્યુત તથા મેઘગર્જના થાય તો સ્વાધ્યાયનો નિષેધ નથી. ૨૨ ભૂમિકંપ થયો હોય તો આઠ પહોર સુધી સ્વાધ્યાય કહ્યું નહિ. ૨૩. અગ્નિનો ઉપદ્રવ થયો હોય તો તે ઉપદ્રવ રહે તેટલો વખત સ્વાધ્યાય કહ્યું નહિ. ૨૪. ચંદ્રગ્રહણમાં ઉત્કૃષ્ટ બાર પહોર સુધી અને સૂર્યગ્રહણમાં ઉત્કૃષ્ટ સોળ પહોર સુધી અસ્વાધ્યાય જાણવો. ૨૫. પાખીની રાત્રિયે પણ સ્વાધ્યાય સૂજે નહિ. ઈત્યાદિ અસ્વાધ્યાયનું સ્વરૂપ સંપ્રદાયને અનુસાર જાણીને સ્વાધ્યાય કરવો કેમકે અયોગ્ય કાળે વાંચનાદિક કરવાથી મૂર્ણપણે પ્રાપ્ત થાય છે. (ઉપદેશ એક્સો સાડત્રીસમો) ભાવશ્રાવક્તા છ લિંગ ૧ કૃતવ્રતકર્મ-વ્રતની ફરજ બજાવનાર હોય, તેના ચાર ભેદ છે, ૧ આકર્ણન-સાંભળવું, ૨ જ્ઞાન એટલે સમજવું, ૩ ગ્રહણ એટલે ૩૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy