SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ સુખ છે. જયાં સુખ છે ત્યાં ધર્મ છે અને જયાં ધર્મ છે ત્યાં જય છે. आयुर्वृद्धिर्यशोवृद्धिः, वृद्धिः प्रज्ञासुखश्रियाम् । થર્મસંતાનવૃદ્ધિ, મિત્ સમાપવૃદ્ધયઃ III ભાવાર્થ : આયુષ્યની વૃદ્ધિ ૧, યશની વૃદ્ધિ ૨, બુદ્ધિની વૃદ્ધિ ૩, સુખની વૃદ્ધિ ૪, લક્ષ્મીની વૃદ્ધિ ૫, ધર્મની વૃદ્ધિ ૬, સંતાનની વૃદ્ધિ ૭, એ સાતે વૃદ્ધિયો ધર્મથી પ્રાપ્ત થાય છે. आचारप्रभवो धर्मो ,नृणों श्रेयस्करो महान् । इहलोके परा कीर्तिः, परत्र परमं सुखम् ॥१॥ ભાવાર્થ શુભ આચારથી ઉત્પન્ન થયેલો ધર્મ મનુષ્યોને મહાકલ્યાણ કરનાર થાય છે. ઈહલોકને વિષે ઉત્કૃષ્ટ કીર્તિ મળે છે અને પરલોકે પરમ સુખ પ્રાપ્ત થાય છે. सर्वागमानामाचारः प्रथमं परिकल्पते । आचारप्रभवोधर्मो, धर्मस्य प्रभुरच्युतः ॥२॥ ભાવાર્થ સર્વ આગમોને વિષે મુખ્ય સારો આચાર કહેલો છે, કારણ કે સારા આચાર થકી ઉત્પન્ન થયેલ ધર્મ કદાપિ કાલે ભ્રષ્ટા નહિ પામનાર ધર્મનો પ્રભુ છે, અર્થાત્ સદ્ આચારથી કોઈ દિવસ કોઈ માણસ ભ્રષ્ટ થતો નથી. સદ્ આચાર વિના કરેલા તમામ કાર્યો નિરર્થક કહેલા છે. तातञ्चन्द्रबलं ततो ग्रहबलं ताराबलं भूबलं, तावत् सिद्धयति वांछितार्थमखिलं तावज्जनः सज्जनः । विद्याराधनमंत्रयंत्रमहिमा तावत् कृतं पौरु षं, यावत् पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षियते ॥१॥ | ભાવાર્થ : જ્યાં સુધી પ્રાણિયોને પોતાના પુન્યકર્મનો ઉદય હોય ત્યાં સુધી જ ચન્દ્રમાનું બલ હોય છે, ગ્રહબલ પણ ત્યાં સુધી જ હોય છે, તારાબલ અને ભૂમિબલ પણ ત્યાં સુધી જ હોય છે. ત્યાં સુધી જ તમામ ઈચ્છિત કાર્યો સિદ્ધિભાવને પામે છે ત્યાં સુધી જ લોકો સજ્જનતા ધારણ કરે છે. વિદ્યાનું આરાધન અને મંત્ર, યંત્રનો મહિમા તેમજ કરેલ પુરૂષાર્થ ૩૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy